કોરોનાવાઈરસ / ગરમ પાણી પીઓ, ધાણા-જીરું, કોથમીરનો ઉપયોગ વધારો, સવારે ચ્યવનપ્રાશ ખાઓ, રાત્રે દૂધમાં હળદર નાંખીને પીઓ

કોરોનાવાઈરસ / ગરમ પાણી પીઓ, ધાણા-જીરું, કોથમીરનો ઉપયોગ વધારો, સવારે ચ્યવનપ્રાશ ખાઓ, રાત્રે દૂધમાં હળદર નાંખીને પીઓ

કોરોના સામે લડવા માટે આયુષ મંત્રાલયે દિશા નિર્દેશ બહાર પાડ્યા

નવી દિલ્હી. આયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ્ય રહેવા માટે મંગળવારે કેટલાક દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. ખાસ કરીને શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. 
દિવસભર નવશેકું ગરમ પાણી પીવો, ઘરે રહો, બહાર ના નિકળો
મંત્રાલયે આયુર્વેદ સંબંધિત કેટલીક સલાહો આપી છે. જોકે મંત્રાલયે કહ્યું છે કે તમને શરદી, ઉધરસના લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરે. આયુષ મંત્રાલયે જણાવ્યા મુજબ  દિવસભર નવશેકું ગરમ પાણી પીવો, ઘરે રહો, બહાર ના નિકળો, ઘરે યોગાસન કરો, પ્રાણાયામ અને ધ્યાન લગાવવું ઘણું ફાયદાકારક બની શકે છે. તેને રોજ કરો, ભોજનમાં હળદર, જીરા, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ જરુર કરો. રોજ સવારે 10 ગ્રામ ચ્યવનપ્રાશનું સેવન કરો. ડાયાબિટીસવાળા લોકો સુગર ફ્રી ચ્યવનપ્રાશ લે, હર્બલ ચા, તુલસી, લવિંગ, સુકું આદુ નાખીને દિવસનાં બે વાર પીવો. તેમાં ખાંડ અને લીંબુ પણ નાખી શકો છો. ગરમ દુધમાં હળદર નાખીને દિવસમાં બે વાર સેવન કરો, નાકમાં સવાર-સાંજ તલનું તેલ, નારિયેળ તેલ અથવા ઘી લગાવો. મોઢામાં એક ચમચી તલનું તેલ કે નારિયેળ તેલ ભરો. તેને 2 થી 3 મિનિટ સુધી અંદર રાખો. આ પછી થૂંકી દો. ગરમ પાણીથી કોગળા કરી લો. આવું દિવસમાં ઓછામાં ઓછું બે વખત કરો. ગરમ પાણીમાં ફુદીના કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લો. આવું દિવસમાં એક વખત કરો. મધમાં લોંગનો પાઉડર નાખીને દિવસમાં 2 થી 3 વખત સેવન કરો. તેનાથી ઉધરસમાં આરામ મળશે.
મોદીએ કરી અપીલ
આયુષ મંત્રાલયે બહેતર આરોગ્ય અને ઇમ્યુનિટી માટે કેટલાક દિશા-નિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે આસાનીથી કરી શકાય છે. આ ઉપાયથી કોરોના સામે લડી શકાય છે.