પત્ની પ્રેમી જોડે ભાગી જતા જજ સાહેબે પીડિત પતિને કહ્યું – ” બીજા સાથે ભાગી ગયેલી પત્નીને ભૂલી જાઓ અને બીજાની શોધખોળ શરૂ કરો. “

પત્ની પ્રેમી જોડે ભાગી જતા જજ સાહેબે પીડિત પતિને કહ્યું – ” બીજા સાથે ભાગી ગયેલી પત્નીને ભૂલી જાઓ અને બીજાની શોધખોળ શરૂ કરો. “

બિહારના પટનામાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. પટના હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે આરોપીને જામીન આપતા પીડિત પતિને કહ્યું હતું કે, હવે બીજા સાથે ભાગી ગયેલી પત્નીને ભૂલી જાઓ અને બીજાની શોધખોળ શરૂ કરો. તે હવે ક્યાં તમારી રહી છે?

બિહારના સીતામઢીના બથનાહાના એક શખ્સે તેની પત્ની વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી હાથ ધરતા ન્યાયાધીશ પી.કે. ઝાએ હતાશ પતિને આશ્વાસન આપતાં કહ્યું કે,  હવે તમારી પત્નીને ભૂલી જાઓ, કારણ કે તે અજાણ્યાં જોડે ભાગી ગઇ છે. હવે કોઇ બીજી છોકરીને શોધો.

બચાવ પક્ષના વકીલ વાય.સી. વર્માએ જણાવ્યું કે, 25 વર્ષના નાગેન્દ્રકુમાર જયસ્વાલના લગ્ન વર્ષ 2017માં તાન્યા નામની એક યુવતી સાથે થયા હતાં. લગ્ન બાદ તાન્યા તેના પતિ સાથે સાસરી નાનપુર રહેવા ગઈ હતી. જ્યાં તેને નાગેન્દ્રને આગળનો અભ્યાસ શરૂ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી નાગેન્દ્રએ પત્નીની ઇચ્છાનું માન રાખી દરભંગાની કાલિદાસ સૂર્ય દેવ કોલેજમાં તેનું એડમિશન અપાવ્યું હતું.

કોલેજ કરતા કરતા થઈ ગયો પ્રેમ

નાગેન્દ્રના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, લોકડાઉન બાદ 22 એપ્રિલના રોજ તાન્યા પોતાના સાસરે ચાલી ગઇ અને ત્યાં પોતાના કાકાના ઘરે રહેવા લાગી. બરાબર એક મહીના બાદ તે તેના કાકાના ઘરેથી 23મે ના રોજ અચાનક ગાયબ થઇ ગઇ હતી. ઘરના લોકોએ મોબાઇલથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન કાયમ સ્વિચ ઑફ આવતો હતો. થોડા દિવસ બાદ જાણવા મળ્યું કે, જ્યારે તે લગ્ન પહેલાં કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની દોસ્તી રાજેશ કુમાર નામના એક શખ્સ સાથે થઇ ગઇ હતી. તાન્યાને શોધવા અને જાણકારી મેળવ્યા બાદ તેના પતિ નાગેન્દ્રએ એવો દાવો કર્યો કે, તેની પત્ની તે જ રાજેશ કુમાર સાથે ભાગી ગઇ છે.

આ આખી ઘટના કોર્ટમાં પહોંચી હતી. જ્યાં ન્યાયાધિશે પીડિત પતિને તેમની પત્ની કે જે અન્ય પ્રેમી જોડે ભાગી ગઈ છે તેને ના શોધવા અને હવે નવા જીવનસાથી શોધવા સલાહ આપી છે.

( Source – Sandesh )