એક જ પરિવારના 18 મુસ્લિમ બન્યા હિન્દુ:ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરીને કર્યું ધર્મપરિવર્તન; 3 પેઢી પછી સનાતન ધર્મમાં પાછા ફર્યા

એક જ પરિવારના 18 મુસ્લિમ બન્યા હિન્દુ:ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરીને કર્યું ધર્મપરિવર્તન; 3 પેઢી પછી સનાતન ધર્મમાં પાછા ફર્યા

 
  • કોઈપણ પ્રકારના દબાણ વગર ધર્મપરિવર્તન કરવાની વાત જણાવી હતી
  • મધ્યપ્રદેશમાં 15 દિવસમાં મુસ્લિમમાંથી હિન્દુ બનવાની બીજી ઘટના સામે આવી છે. આ વખતે રતલામનાં આમ્બામાં 18 લોકોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. પરિવારનાં મોભી મોહમ્મદ હવે રામ સિંહ બની ગયા છીએ. ભીમનાથ મંદિરમાં મહા શિવપુરાણની પૂર્ણાહુતિ પર ગુરુવારે સ્વામી આનંદગિરિ મહારાજનાં સાંનિધ્યમાં ગાયના છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરીને જનોઈ ધારણ કરી હતી. આ પહેલા તમામે એફિડેવિટ પણ બનાવી લીધું હતુ. તેમાં તેમણે કોઈપણ પ્રકારના દબાણ વગર ધર્મપરિવર્તનની વાત જણાવી છે. આ પહેલા પરિવારના મોભીએ સ્વામી આનંદગિરિની પાસે જઈને ધર્મપરિવર્તન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
  • માત્ર 13 દિવસ પહેલા જ મંદસૌરમાં શેખ ઝફર શેખના પિતા ગુલામ મોઈનુદ્દીન શેખે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. હવે તેઓ ચેતન સિંહ રાજપૂતનાં નામથી ઓળખાય છે. તેમની પત્ની પહેલેથી જ હિન્દુ ધર્મમાંથી છે. શેખ ઝફરે ભગવાન પશુપતિનાથ મંદિર પરિસરમાં ધર્મ પરિવર્તન કર્યું હતુ.

    કુંડમાં આખા પરિવારે ગાયનું છાણ, ગૌમૂત્રથી સ્નાન કર્યું હતું
    55 વર્ષીય મોહમ્મદ શાહ, જેઓ જડીબુટ્ટીઓ અને તાવીજ વેચે છે, તેમણે પરિવાર અને સંબંધીઓ સાથે ધર્મ પરિવર્તન કર્યું હતું. આ અગાઉ તેઓ સ્વામી આનંદગીરી મહારાજને મળ્યા હતા અને ધર્મ પરિવર્તનની વાત કરી હતી. આ બાબતે તેમણે મંજૂરી આપી ત્યારે શાહે કોર્ટમાંથી એફિડેવિટ બનાવી લીધું હતુ. સ્વામીજીની હાજરીમાં ભીમનાથ મંદિર પાસે બનેલા કુંડમાં આખા પરિવારે ગાયનું છાણ, ગૌમૂત્રથી સ્નાન કર્યું હતુ. બાદમાં જનોઈ સાથે કેસરી વસ્ત્રો પહેરીને જય શ્રી રામ, જય મહાકાલ અને સનાતન ધર્મના જયઘોષ સાથે નારા લગાવ્યા હતા.

    ધર્મપરિવરિતન બાદ મોહમ્મદ શાહ હવે રામસિંહ બની ગયા છે. તેમણે કહ્યું- બે-ત્રણ પેઢી પહેલા તેના પરિવારના સભ્યો વાદી સમાજમાં મોરલી વગાડવાનું કામ કરતા હતા. આ પછી, રોજગારની શોધમાં, જડીબુટ્ટીઓ વેચવાનું અને તાવીજ બનાવવા વિશે ફરતા હતા અને મુસ્લિમ ધર્મ અપનાવી લીધો હતો. થોડો સમય ગામમાં રહ્યા બાદ હિન્દુ ધર્મમાં રુચિ વધવા લાગી હતી. ગામમાં શિવ મહાપુરાણ કથા દરમિયાન સ્વામીજીને ધર્મપરિવર્તન બાબતની વાત કરી હતી. હવે પરિવાર અને સંબંધીઓએ સાથે મળીને ધર્મપરિવર્તન કર્યું છે.

  • હિન્દુ ધર્મ અપનાવ્યો
    ધર્મ પરિવર્તન પછી મોહમ્મદ શાહ રામ સિંહ અને તેમના પુત્ર મૌસમ શાહ અરુણ સિંહ બની ગયો છે. એ જ રીતે શાહરૂખ શાહ હવે સંજય સિંહ બની ગયા છે. નઝર અલી શાહ રાજેશ સિંહ બન્યા, નવાબ શાહ મુકેશ સિંહ બન્યા, પત્ની શાયરાબી શાયરાબાઈ બની, પુત્રવધૂ શબનમ સરસ્વતીબાઈ બની અને પૌત્ર હીરો શાહ સાવન સિંહ બની ગયો છે.

    આ સાથે જ ધરમવીર શાહના પિતા હુસૈન શાહ ધર્મવીર સિંહ બન્યા, તેમની પત્ની આશાબી હવે આશાબાઈ બની ગઈ છે. અરુણ શાહ કરણ સિંહ બની ગયા, તેમની પત્ની મીનુબી થી હવે મીનાબાઈ તરીકે ઓળખાશે. રાજુ શાહ હવે રાજુ સિંહ બની ગયા છે, જ્યારે તેમની પત્ની રંજીતા શાહ રંજીતા બાઈ બની ગયા છે. રમઝાની પિતા લલ્લુ શાહ હવે મુકેશ સિંહ તરીકે ઓળખાશે. રૂખસાના હવે રૂકમણીબાઈ બની ગયા છે, અર્જુન શાહ હવે અર્જુન સિંહ બન્યા છે અને તેમની પત્ની મુમતાઝ હવે માયા બની ગઈ છે.

  • ( Source - Divyabhaskar )