ટાટા દેશની બીજી સૌથી મોટી એરલાઈન કંપની બનશે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને મળશે સારી સુવિધા

ટાટા દેશની બીજી સૌથી મોટી એરલાઈન કંપની બનશે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને મળશે સારી સુવિધા

એર ઈન્ડિયાની વિશેષતાઓ
એર ઈન્ડિયાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હજુ પણ ફાઈવ સ્ટાર હોટેલ તાજમાંથી ફૂડ ઓર્ડર કરે છે.પ્લેનમાં ભોજન પૂરું પાડવા માટે તે તાજની કેટરિંગ સર્વિસ તાજ સેટ્સ પરથી ઓર્ડર કરે છે. હવે જ્યારે તમામ એરલાઈન્સ માત્ર પાણી જ મફત આપે છે, ત્યારે એર ઈન્ડિયા હજી પણ ભોજન અને નાસ્તો મફત આપે છે.

એર ઈન્ડિયાનો પ્રારંભિક લોગો જેઆરડી ટાટાએ પોતે પસંદ કર્યો હતો
1967માં એર ઈન્ડિયામાં મુસાફરોને ભેટ તરીકે એશ ટ્રે આપવામાં આવી હતી. એર ઈન્ડિયાનો પ્રારંભિક લોગો જેઆરડી ટાટાએ પોતે પસંદ કર્યો હતો. તે ધનુની નિશાની હતી, તેની થીમ શરૂઆતથી જ લાલ અને સફેદ રહી છે. તેનો લોગો 2007માં બદલાયો હતો. હવે તે એક લાલ રંગમાં ઉડતા હંસ જેવી છે જેમાં કોણાર્ક ચક્ર જોડાયેલ છે.

2015માં તેનું નવનિર્માણ થયું અને તે વધુ યુવા હોવાનું દર્શાવવામાં આવ્યું. ધોતી પાઘડીની સાથે-સાથે તેણે જીન્સ અને સૂટ પણ પહેરવાનું શરૂ કર્યું. એર હોસ્ટેસને પરંપરાગત ભારતીય સાડીમાં બ્રાન્ડ કરવામાં આવી. એર ઈન્ડિયાની આ છબી અવિરત ચાલુ જ છે.

10.5 કરોડ લોકો મુસાફરી કરે છે
2021માં કુલ 10.5 કરોડ લોકોએ ડોમેસ્ટિક રૂટ પર મુસાફરી કરી હતી. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર છે. તે રૂ. 1.20 લાખ કરોડની ઈન્ડસ્ટ્રી છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)નું અનુમાન છે કે 2030 સુધીમાં ભારત આ મામલે ચીન અને અમેરિકાને પાછળ છોડી શકે છે.

4 વર્ષમાં 35 હજાર કરોડનું રોકાણની આશા
એક અંદાજ મુજબ આગામી 4 વર્ષમાં આ ઈન્ડસ્ટ્રીમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે. ભારત સરકાર 2026 સુધીમાં 14 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે જે એરપોર્ટ ઈન્ફ્રા ડેવલપમેન્ટ માટે ખર્ચવામાં આવશે.

એર ઈન્ડિયાનું ભવિષ્ય અને પડકારો
પ્રથમ તબક્કામાં ટાટા જૂથ આ કંપનીને નુકસાનમાંથી નફામાં ફેરવવાની યોજના પર કામ કરશે. તે પછી દેવામાંથી મુક્તિ અપાવશે અને કદાચ એવું બની શકે કે તેનો IPO લાવીને તેને માર્કેટમાં લિસ્ટ કરવામાં આવે. જો કે, આ ત્યારે જ થશે જ્યારે કંપની ખોટમાંથી બહાર નીકળી શકશે. કારણ કે તેનું મૂલ્યાંકન તે પછી થશે. ટાટા ગ્રૂપ તેને ખોટમાં ચાલતા રૂટ પર બંધ કરી શકે છે. તેનાથી દેવું ઘટાડવામાં પણ મદદ મળશે. એર ઈન્ડિયા પાસે હાલમાં 114 એરક્રાફ્ટ છે. તેમાંથી 42 લીઝ પર અને અન્ય 99 તેના પોતાના છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ટાટા ગ્રૂપ જે રીતે કામ કરે છે તે આ કંપનીને નવી ઊંચાઈ પર લઈ જશે. કારણ કે તેની સાથેની ભારે લાગણી છે અને એર ઈન્ડિયાને ખરીદવાની વાત ઘણી વખત ખુદ રતન ટાટાએ પણ કહી હતી. તેઓ 1990માં એરલાઈન્સ પણ શરૂ કરવાના હતા, પરંતુ સફળ થઈ શક્યા નહીં.

શુક્રવારે બોર્ડની બેઠક મળી હતી
ગયા શુક્રવારે કંપનીની બોર્ડ બેઠક હતી. જેમાં વિક્રમ દેવને નવા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ રીતે હાલમાં જેઓ બોર્ડના સભ્યો છે તેઓ રાજીનામું આપશે અને મહીનાના અંતમાં ટાટાનું નવું બોર્ડ હશે. ટાટા ગ્રૂપ એવિએશન માર્કેટમાં 25-30%ના બજાર હિસ્સા સાથે બીજા નંબરની સૌથી મોટી એરલાઇન પ્લેયર બનશે.

એર ઈન્ડિયા ટેલેસ દ્વારા ચલાવવામાં આવશે
ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાટા ગ્રુપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે એર ઈન્ડિયાને ખરીદવાનું ટેન્ડર જીતી લીધું હતું. ટેલેસ ટાટાનો એરલાઇન બિઝનેસ ચલાવશે. આ માટે 18,000 કરોડની બોલી લગાવવામાં આવી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસની સાથે, ટાટા ગ્રુપ પણ સેટ્સમાં 50% હિસ્સો ધરાવે છે. એર ઈન્ડિયા સેટ્સ ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરે છે.

ઓક્ટોબરમાં જ અકાસાને પણ એનઓસી
સંજોગોવશાત્, ઓક્ટોબરમાં ટાટા જૂથે એર ઈન્ડિયા માટે બિડ જીતી લીધી હતી અને તે જ મહિનામાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની અકાસાને સરકાર તરફથી નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર (NOC) પણ મળી ગયુ છે. એવું માનવામાં આવે છે કે અકાસા મે સુધીમાં ઉડાન ભરવાનું શરૂ કરશે. સપ્ટેમ્બર 2021માં જેટ સેટ ગો નામની કંપનીએ પણ 2024 સુધીમાં તેની ફ્લાઇટ શરૂ કરવાની યોજના જાહેરાત કરી છે.

72 બોઇંગનો ઓર્ડર આપ્યો
શેરબજારના મોટા બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇન અકાસા એરે 72 Boeing 737 MAX જેટનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર દુબઈમાં યોજાયેલ એર શોમાં આપેલ છે. આ વિમાનોની કુલ કિંમત 9 અબજ ડોલર છે. આ વર્ષથી જ એરક્રાફ્ટની ડિલિવરી શરૂ થશે. કંપનીના સીઈઓ વિનય દુબેએ કહ્યું, 'અમે એવું માનીએ છીએ કે નવું 737 MAX એરક્રાફ્ટ માત્ર સસ્તું એરલાઇન ચલાવવાના અમારા ધ્યેયને સમર્થન આપશે નહીં, પરંતુ અકાસાને એક એન્વાયરમેન્ટ કંપની પણ બનાવશે.

18 એરક્રાફ્ટ હશે
તેઓ કહે છે કે 2022-23માં અમારી પાસે 18 એરક્રાફ્ટ હશે. આગામી એક વર્ષમાં 14-16 એરક્રાફ્ટ હશે. આ વિમાનોની કુલ કિંમત 9 અબજ ડોલર છે. પાંચ વર્ષમાં 72 એરક્રાફ્ટ રાખવાની યોજના છે. તેઓ કહે છે કે અમે એક બજેટ કેરિયરને ચલાવીશું. અમારી મુખ્ય યોજના અમારા ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવાની છે જે સસ્તી પણ હશે. કંપનીને એપ્રિલના બીજા પખવાડિયામાં પ્રથમ એરક્રાફ્ટ મળવાની અપેક્ષા છે. પહેલી કોમર્શિયલ ફ્લાઈટ જૂન સુધીમાં શરૂ થઈ શકે છે.

શરૂઆતમાં મેટ્રો સિટી પર ધ્યાન કેન્દ્રીત​​​​​​​
કંપની શરૂઆતમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોરના રૂટ પર સેવાઓ આપશે. કંપની પહેલા પડોશી દેશો માટે આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઈટ ચલાવશે. પછી તેને દક્ષિણ એશિયા અને મધ્યપૂર્વના દેશોમાં વિસ્તરણ કરશે.

જેટના કાફલામાં 3 વર્ષમાં 50 વિમાન સામેલ થશે​​​​​​​
જેટ એરવેઝ 2.0ના નવા પ્રમોટર્સને આગામી ત્રણ વર્ષમાં 50 વિમાન સામેલ કરવાની આશા છે. દેવામાં ડૂબેલી જેટ એરવેઝ એપ્રિલ 2019માં ગ્રાઉન્ડેડ થઈ ગઈ હતી. આ પહેલા એરલાઇનને દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી એરલાઇનનો દરજ્જો મળ્યો હતો. અકાસાનું આગમનથી તે જ પ્રકારની અડચણ આવી શકે છે જેવી કે કિંગફિશર એરવેઝની 2005-06માં શરૂઆત થયા બાદ આવી હતી.

જેટ એરવેઝની તૈયારી
જેટ એરવેઝ ફરી ઉડાન ભરવાની તૈયારી કરી રહી છે. તે જાલાન કાલરોકના ગ્રુપ દ્વારા લેવામાં આવ્યું છે. 5 વર્ષમાં 100 એરક્રાફ્ટ તેમાં સામેલ કરવાની તૈયારી છે. 1 હજાર કર્મચારીઓ દ્વારા આ વર્ષના મે સુધીમાં શરૂ કરવામાં આવશે. જો કે, લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટને તેને લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સરકાર પણ કામ કરી રહી છે
સરકાર પણ આ ઉદ્યોગમાં લાભ આપવાનું કામ કરી રહી છે. 2017માં તેણે ઉડે આમ આદમી એટલે કે ઉડાનની શરૂઆત કરી હતી. તેનો અર્થ નાના-નાના એરપોર્ટને જોડીને ત્યાં સુધી ફ્લાઇટ શરૂ કરવાનો છે. આ કામ 370 થી વધુ રૂટ પર કરવામાં આવ્યું છે. તેના પર અત્યાર સુધીમાં 3,550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.