કાયમી વસવાટ માટે છૂટછાટ : ન્યુઝીલેન્ડે પ્રવાસી વિઝાની પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર, 1.65 લાખ વિઝીટર્સને PRની લોટરી લાગી

કાયમી વસવાટ માટે છૂટછાટ : ન્યુઝીલેન્ડે પ્રવાસી વિઝાની પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર, 1.65 લાખ વિઝીટર્સને PRની લોટરી લાગી

કોવિડના કારણે ન્યુઝીલેન્ડની બહાર ફસાયેલા પ્રવાસીઓ પર આ નિયમ લાગુ થતો નથી

ન્યુઝીલેન્ડમાં રહેનારા ભારતીય માટે સારા સમાચાર છે. ન્યુઝીલેન્ડે આજે પ્રવાસી વિઝાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરતા રેસિડન્ટ વિઝા 2021ની જાહેરાત કરી છે. જેના કારણે ન્યુઝીલેન્ડમાં રહેતા દોઢ લાખથી વધુ પ્રવાસીઓને સ્થાયી થવાનો માર્ગ મોકળો બન્યો છે. કોવિડ-19 મહામારી દરમિયાન રેસિડન્સી એપ્લિકેશનમાં થયેલા વિલંબ પછી ન્યુઝીલેન્ડ 165000 પ્રવાસીઓને રેસિડન્ટ વિઝા આપવા જઈ રહ્યું છે. ન્યુઝીલેન્ડના કુશળ વિદેશી શ્રમિકોએ દેશ છોડીને જતા રહેવાની ધમકી આપ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડ સરકારના આ નિર્ણયથી કોવિડ મહામારીના કારણે ઘણા ભારતીય ખાસ કરીને પંજાબીઓ, જે લાંબા સમયથી ન્યુઝીલેન્ડમાં ફસાયેલા છે, તેમને લાભ થશે. ન્યુઝીલેન્ડના ટૂરિઝમનું સ્લોગન છે, 100% પ્યોર. પણ હવે અહીંયા ભારતીયો માટે કાયમી વસવાટ 100% શ્યોર બની ગયો છે.

કેટલાક ભારતીય કેનેડા જેવા મજબૂર થયા
કોરોનાના સખ્ત પ્રતિબંધના કારણે કઠણ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય અને અન્ય પ્રવાસીઓ નિરાશ થઈને કેનેડા જેવા દેશમાં જવા મજબૂર થયા હતા. ન્યુઝીલેન્ડની સરકારે આવા તમામ પ્રવાસીઓને દેશ છોડીને જતા અટકાવવા માટે હવે ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટનો રસ્તો ખોલી નાંખ્યો છે. જોકે કોવિડના કારણે ન્યુઝીલેન્ડની બહાર ફસાયેલા પ્રવાસીઓ પર આ નિયમ લાગુ થતો નથી અને તેમણે રાહ જોવી પડી શકે છે. મીડિયાના રિપોર્ટ અનુસાર મંત્રી ક્રિસ ફાફોઈએ ગુરુવારે વેલિંગ્ટનમાં એક નિવેદનમાં કહ્યું કે અમે લાંબા સમયથી કોવિડ-19ના કારણે ફસાયેલા પ્રવાસી પરિવારોને સ્થાયી વિઝા આપવા જઈ રહ્યાં છે. જેથી તેમના માટે આગળનો રસ્તો સ્પષ્ટ થઈ શકે.

 

લગભગ 1,65,000 લોકોને એક સાથે લાભ મળશે
તેમણે વધુમાં કહ્યું કે લગભગ 1,65,000 લોકોને એકસાથે લાભ મળશે. તેમણે કહ્યું કે તેમાં હજારો કુશળ સ્વાસ્થ્ય કાર્યકર્તા પણ સામેલ છે. જેમના રેસિડન્ટ વિઝામાં વિલંબ થયો હતો. ફફોઈએ કહ્યું કે મોટાભાગની અરજી ડિસેમ્બરમાં શ્રેણી ખુલવાની સાથે જ એક વર્ષની અંદર આપવામાં આવશે. 2021ના રેસિડન્ટ વિઝા કાર્યસંબધિત વીઝા ધારકો અને તેમના પરિવારના સભ્યો માટે તાત્કાલિક ઉપલબ્ધ થશે. ન્યુઝીલેન્ડનું અનુમાન છે કે યોગ્ય વીઝા ધારકોમાં 5000થી વધુ સ્વાસ્થ્ય અને વૃદ્ધ દેખરેખ કાર્યકર્તા, લગભગ 9000 પ્રાથમિક ઉદ્યોગ કાર્યકર્તા અને 800થી વધુ શિક્ષક સામેલ હશે. પ્રાસંગિક વિઝા પ્રકારોમાં લગભગ 15000 નિર્માણ અને 12000 વિનિર્માણ કર્મચારી પણ છે. જેમાંથી કેટલાક વન-ઓફ પાથવે માટે પાત્ર થશે.