રાષ્ટ્રપતિની કબૂલાત:રામનાથ કોવિંદે કહ્યુ, ‘મને મહિને 5 લાખ પગાર મળે છે, પોણા 3 લાખ ટેક્સ કપાય છે, મારી પાસે કંઈ વધતું જ નથી’

રાષ્ટ્રપતિની કબૂલાત:રામનાથ કોવિંદે કહ્યુ, ‘મને મહિને 5 લાખ પગાર મળે છે, પોણા 3 લાખ ટેક્સ કપાય છે, મારી પાસે કંઈ વધતું જ નથી’

ટ્રેન દ્વારા પોતાના વતન જઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝીઝક રેલવે સ્ટેશને પોતાની જૂની વાતો યાદ કરી હતી અને કહ્યું હતું કે તેમનો મોટાભાગનો પગાર ટેક્સમાં કપાઈ જાય છે. સૌથી વધુ તો શિક્ષકોનો પગાર છે. પોતાના સન્માન કાર્યક્રમમાં મજાકના સૂરે કહ્યું હતું કે મને મહિને 5 લાખ રૂપિયા પગાર મળે છે પરંતુ તેમાંથી પોણા ત્રણ લાખ રૂપિયાનો ટેક્સ કપાય છે. મારી પાસે કઈ બચતું જ નથી. અહીં બેઠેલા શિક્ષકોની કમાણી મારા કરતા વધુ હશે. રાષ્ટ્રપતિ પોતાના મિત્રો અને સગાવ્હાલાને પણ મળ્યા હતા. તેમણે પોતાનું બાળપણ યાદ કરતા કહ્યું કે ઝીઝક સ્ટેશને તેઓ ખુરશીમાં બેસીને ટ્રેનની રાહ જોતા હતા.

Caption

રાષ્ટ્રપતિને બાળપણથી જ મજાકની આદતઃ વિદ્યાવતી
ઉચ્ચ શિક્ષણ માટે કાનપુર અને ત્યાંથી દિલ્હી ગયા હતા. ઝીઝક સ્ટેશને રાષ્ટ્રપતિએ પોતાના ભાભી વિદ્યાવતી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન મજાકમાં તેમણે કહ્યું કે ભાભી આજકાલ તમે અખબારોમાં બહુ પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. વિદ્યાવતીએ પછીથી કહ્યું હતું કે રાષ્ટ્રપતિને બાળપણમાં મજાકની બહુ આદત હતી અને આજે પણ તેઓ આમાથી બાકાત રહી શક્યા નહીં. રાષ્ટ્રપતિ પોતાના ભાઈ પ્યારાલાલ સાથે વધુ સમય રહ્યાં હતા. તેમણે સાવધાની રાખવા કહ્યું હતું.

કોવિંદ બાળપણના મિત્રને પણ મળ્યા
આ ઉપરાંત રાષ્ટ્રપતિ પોતાના બાળપણના મિત્ર કૃષ્ણકુમાર અગ્રવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. કાપના વેપારી કૃષ્ણકુમાર અગ્રવાલ ઘણા લાંબા સમયથી બીમાર છે. આથી તેઓ સર્કિટ હાઉસ જઈ શકે તેમ નહોતા પણ રાષ્ટ્રપતિએ પોતે મિત્રના ઘરે જવાની જીદ કરી હતી. રાષ્ટ્રપતિ પોતાના ગામમાં ત્રણ કલાક રોકાયા હતા. રાષ્ટ્રપિત સોમવારે સવારે 10 વાગે ટ્રેન દ્વારા લખનઉ જવા રવાના થશે.

દેશના ટોચના હોદ્દેદારોનો પગાર

પદ મહિને સેલેરી 30% પે કટ
રાષ્ટ્રપતિ 5,00,000 3,50,000
ઉપરાષ્ટ્રપતિ 4,00,000 2,80,000
વડાપ્રધાન 2,00,000 1,60,000

(કોરોનાને કારણે દરેકના પગારમાં 30 ટકાનો કાપ ચાલે છે)

( Source - Divyabhaskar )