યજ્ઞ સમયે કેમ બોલવામાં આવે છે ‘સ્વાહા’, જાણો તેના વગર અધૂરું છે હવન

યજ્ઞ સમયે કેમ બોલવામાં આવે છે ‘સ્વાહા’, જાણો તેના વગર અધૂરું છે હવન

આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજાની સાથે હવન તેમજ યજ્ઞ પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ધાર્મિક આયોજનોમાં હવન તેમજ યજ્ઞને મુખ્ય માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હવન ખૂબ જુની પરંપરા છે. તેના દ્વારા દેવી-દેવતાઓને યાદ કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તમારામાંથી ઘણા લોકોએ જોયું હશે કે હવન કે યજ્ઞ દરમિયાન કામના પૂરી કરવા માટે હવન કે યજ્ઞ રાખવામાં આવે છે. તેમા આહુતિ નાખવી ખૂબ જરૂરી હોય છે. માન્યતા છે કે હવન અંતર્ગત આપણે અગ્નિ દ્વારા દેવતાઓને હવિ પહોંચાડીએ છીએ. હવિ એટલે ફળ, મધ, ઘી, કાષ્ઠ સહિત જેની આપણે આહુતિ આપીએ છીએ।

તેની સાથે ઘણા લોકોના મોંમાંથી તમે સ્વાહા શબ્દ સાંભળ્યો હશે. પરંતુ ઘણા લોકો હવન કરતા સમ્યે તેનો ઉચ્ચારણ કરતા નથી. પરંતુ જણાવી દઇએ કે તેનો ઉચ્ચારણ કરવું ખૂબ જરૂરી માનવામાં આવ્યું છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તેના વગર કોઇપણ યજ્ઞ કે હવન પૂરુ માનવામાં આવ્યું નથી. તો આવો જોઇએ શુ સ્વાહા શબ્દનો અર્થ અને તેનું ઉચ્ચારણ કરવું કેમ જરૂરી છે.

ધાર્મિક ગ્રંથોમાં સ્વાહા શબ્દથી જોડાયેલી કેટલીક કથાઓ મળે છે. જેમા સ્વાહા રાજ દક્ષની પુત્રી હતી. જેના લગ્ન અગ્નિદેવ સાથે થયા હતા. એવું કહેવામાં આવે છે કે અગ્નિદેવ પત્ની સ્વાહાના માધ્યમથી આહુતિને પ્રગટાવીને દેવકાઓ સુધી પહોંચે છે. તે સિવાય કહેવાય છે કે સ્વાહા પ્રકૃતિની એક કળા હતા. જેને ભગવાન શ્રીકૃષ્ણનું વરદાન હતું કે માત્ર તેના દ્વારા જ દેવતાઓ આહુતિને ગ્રહણ કરી શકશે.

કેટલીક માન્યતાઓ અનુસાર એક સમય પર દેવોની પાસે ભોજનની વસ્તુઓ ઓછી થઇ ગઇ હતી. ત્યારે બ્રહ્માજીએ ઉપાય નીકાળ્યો જેમા બ્રાહ્મણ દેવોને હવન દ્વારા હવિષ્ય આપશે. પરંતુ કહેવામાં આવે છે કે અગ્નિમાં ભસ્મ કરવાની ક્ષમતા ન હતી જેથી બ્રહ્માજીને મૂળ પ્રકૃતિનું ધ્યાન લગાવ્યું, તે બાદ એક દેવી પ્રગટ થયા અને જે બાદ દેવીએ બ્રહ્માજીથી તેમની ઇચ્છા અંગે પૂછવામાં આવ્યું બ્રહ્માજીએ કહ્યું કે કોઇએ અગ્નિદેવ પાસે રહેવું પડશે જે હવન દરમિયાન કેટલાક મંત્રો ઉચ્ચારણપર આહુતિને ભસ્મ કરે. જેથી દેવ તે આહુતિને ગ્રહણ કરી શકે, ત્યારે સ્વાહાની ઉત્પતિ થઇ જે સદૈવ અગ્નિદેવ પાસે રહે છે. તો આજ કારણ છે કે હવનમાં બોલવામાં આવતા મંત્ર સ્વાહાથી સમાપ્ત થાય છે. જેથી સ્વાહા અગ્નિને આહુતિને ભસ્મ કરવાની શક્તિ આપી શકે. કેટલીક માન્યતાઓ અનુસાર આ શક્તિને દહન શક્તિ પણ કહેવામાં આવે છે.