ફ્રાંસ-તુર્કીથી ભડકશે ત્રીજુ વિશ્વયુદ્ધ! ભારત વિશ્વગુરૂની ભૂમિકામાં? નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી

ફ્રાંસ-તુર્કીથી ભડકશે ત્રીજુ વિશ્વયુદ્ધ! ભારત વિશ્વગુરૂની ભૂમિકામાં? નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી

ઉત્તર કોરિયા (North Korea)અને અમેરિકા (America)માં જે રીતે સંઘર્ષ ચાલી રહ્યો છે એ જોતા આવનારા ભવિષ્ય(The future) ને લઇને ચિંતાઓ થાય તે સ્વાભાવિક છે. હાલ સમય એવો છે કે દરેક દેશ પાસે ઓછામાં ઓછા 100 પરમાણુ બોમ્બ તો મળી જ આવે, કોરિયા પહેલા જ પરમાણુ હુમલાની ધમકી આપી ચુક્યુ છે. 16 એપ્રિલ સુધી તમામ દેશના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ કર્યો છે.

આ અવઢવ ભર્યા સમયમાં જો અમેરિકા કે કોરિયા હુમલો કરે તો નક્કી ત્રીજુ વિશ્વયુદ્ધ (third world war)ફાટી નીકળે. એક બાજુ જ્યાં ચીન, અરબ, ઇરાન ઉત્તર કોરિયા પર મહેરબાની રાખી રહ્યા છેતો રશિયા અને ભારતનું વલણ હજુ સુધી સ્પષ્ટ નથી.જાપાન પહેલા જ અમેરિકા તરફ વળેલુ છે આવામાં એક અલગ જ સમીકરણ રચાઇ રહ્યુ છે.

14 ડિસેમ્બર 1503માં ફ્રાન્સમાં જન્મેલ નોસ્ટ્રાડેમસ (Nostradamus )ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી ચુક્યા છે આ આગાહી ખરેખર ખુબજ ડરામણી છે. જો આ ભવિષ્યવાણી સાચી પડી તો પ્રલય નક્કી છે.

એક નજર કરીએ ભવિષ્યવાણી પર
નોસ્ટ્રાડેમસ (Nostradamus )પોતાની ભવિષ્યવાણી કરતા પુસ્તકમાં લખ્યુ છે કે એક જહાજ તમામ હથિયાર અને દસ્તાવેજ લઇને ઇટલીના તટે પહોંચશે અને યુદ્ધ શરૂ થશે. તેનો કાફલો અવિરત ચાલતો રહેશે અને વિનાશ નોતરતો રહેશે.

એક બીજા પ્રકરણમાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો સમય અને કોણ કોણ દેશ તેમાં જોડાશે તેમજ આ ભયંકર યુદ્ધનું કેવુ પરિણામ આવશે તે અંગે લખ્યુ છે કે ત્રણ તરફથી સમૂદ્રથી ઘેરાયેલ દેશમાં એક નેતા હશે, જે જંગલી નામ વાળો હશે જે ભારતમાં પ્રધાનમંત્રી પદ પર બેસશે. દેશમાં જનક્રાંતિથી નવો નેતા આવશે અને સત્તાના સમીકરણ બદલી નાખશે.

નવો ધર્મ ઇસ્લામ વિરૂદ્ધ ચોમેર પવન ફુંકાશે અને આ તકરાર ઇટલીથી ફ્રાંસ સુધી પહોંચશે અને ત્રીજુ યુદ્ધ શરૂ થઈ જશે. દુનિયાના સૌથી પ્રખ્યાત ભવિષ્યવક્તાએ પોતાની આ વાત દોહાઓના માધ્યમથી જણાવી છે.

નોસ્ટ્રાડેમસ (Nostradamus )હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંકાશે તે અંગે પણ ભવિષ્યવાણી (prediction)કરી ચુક્યા છે. કુદરતી આફતો, યુદ્ધ, કયામત અને ભવિષ્યને લઇને તેમની સટીક ભવિષ્યવાણી કહેવાય છે.

નોસ્ટ્રાડેમસ (Nostradamus )પોતાની ભવિષ્યવાણીમાં (prediction)કહ્યુ છે કે ત્રીજા યુદ્ધના કારણે ચીન રાસાયણિક હુમલો કરશે જેના કારણે એશિયામાં તબાહી અને ચારેકોર મોતનું તાંડવ રચાશે. એવી ખરાબ પરિસ્થિતિ આવશે જે આજ સુધી કોઇએ કલ્પી પણ ન હોય.

નોસ્ટ્રાડેમસ (Nostradamus )ભવિષ્યવાણી  (prediction)માં કહ્યુ છે કે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન આકાશમાંથી આગના ગોળાઓ વરસશે અને પૃથ્વી પર હિંદ મહાસાગરમાં આગનું એક તોફાન આવશે આ ઘટનાથી દુનિયાના કેટલાયે રાષ્ટ્ર જળમગ્ન થઈ જશે.