જાણી જોઇને કોરોના પોઝિટિવ થશે આ લોકો, મળશે 4-4 લાખ રૂપિયા

જાણી જોઇને કોરોના પોઝિટિવ થશે આ લોકો, મળશે 4-4 લાખ રૂપિયા

આવતા મહિને લંડન (London)માં હ્યુમન ચેલેન્જ ટ્રાયલ (Human Challenge Trial) થવા જઇ રહ્યો છે. લંડનની રોયલ ફ્રી હોસ્પિટલ (Royal Free Hospital)માં યોજાનારા આ ટ્રાયલમાં આશરે 2500 બ્રિટીશ લોકો જાણી જોઈને કોરોના પોઝિટિવ (Corona Positive) બનશે. ત્યારબાદ આ લોકો પર રસીનું પરીક્ષણ કરવામાં આવશે. આ ટ્રાયલમાં તંદુરસ્ત લોકોને પહેલા કોરોના પોઝિટિવ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રસી આપવામાં આવશે. ત્યારબાદ તેના પરિણામોને મૉનિટર કરવામાં આવશે જેથી એ જાણી શકાય કે આ વેક્સિન કામ કરી રહી છે. આ અગાઉ પણ મેલેરિયા, ટાઇફોઇડ અને ફ્લૂ જેવા રોગો માટે આવા પ્રયોગો કરવામાં આવ્યા છે.

બધા લોકોની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હશે

આ પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી કોરોના રસીનું કામ ઝડપી થઈ શકે. આ બધા લોકોની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હશે. આ વયના લોકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ સૌથી ઓછું છે. તેઓને રોયલ ફ્રી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ક્લિનિકમાં રાખવામાં આવશે અને તેમના લક્ષણોનું નિરીક્ષણ અહીં કરવામાં આવશે. બેથી ત્રણ અઠવાડિયાના આ પ્રયોગ માટે આ લોકોને 4000 પાઉન્ડ મળશે, જે ભારતીય ચલણમાં આશરે 4 લાખ રૂપિયા જેટલા થાય છે. 18 વર્ષનો એલાસ્ટર ફ્રેઝર પણ આ ટ્રાયલ્સનો એક ભાગ છે. તેણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તેમને ક્લિનિકમાં બંધ રાખવામાં આવશે અને તેમના બૉડીને મૉનિટર કરવામાં આવશે.

મને આવી તક મળી, હું ઇનકાર કરી શકી નહીં,

તેમણે કહ્યું કે જો આ ટ્રાયલ સફળ રહ્યો તો લાખો લોકોના જીવ બચાવી શકાશે, તેથી તે આ ટ્રાયલનો ભાગ બનવા માટે તૈયાર થયો છે. આ સિવાય 29 વર્ષીય જેનિફર રાઈટ પણ આ ટ્રાયલ્સનો એક ભાગ છે. તેણે કહ્યું કે મારા કેટલાક મિત્રો છે જે તબીબી ક્ષેત્રે કામ કરે છે અને તેઓ આ રોગચાળાના સમયમાં તમામ પ્રકારના જોખમો લઈને અને તેમના જીવન પર રમીને લોકોને બચાવી રહ્યા છે. તે જ સમયે, આપણામાંના ઘણા એવા છે જે ઘરે સુરક્ષિત છે. આવી સ્થિતિમાં, જ્યારે મને આવી તક મળી, હું ઇનકાર કરી શકી નહીં, કારણ કે હું જલદીથી જલદી આ વાયરસને દૂર કરે તેવી રસીનો ઇંતઝાર કરી રહી છું.

એડવર્ડ જેનર દ્વારા આ પ્રકારના ટ્રાયલ્સની શરૂઆત

ઉલ્લેખનીય છે કે 18મી સદીમાં વૈજ્ઞાનિક એડવર્ડ જેનર દ્વારા આ પ્રકારના ટ્રાયલ્સની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે તેમણે પોતાના બાગમાં કામ કરતા પુત્રને સંક્રમિત કર્યો હતો જેથી તેઓ જાણી શકે કે તેમની રસી અસરકારક છે કે કેમ. ત્યારથી આ પ્રયોગ જીવલેણ રોગો માટે ખૂબ જ અસરકારક સાબિત થયો છે.