શું તમે વારંવાર પડી જાઓ છો બીમાર, કુંડળીમાં રહેલા આ દોષ તો નથીને જવાબદાર?
ગ્રહોની શુભ અને અશુભ સ્થિતિની સીધી અસર આપણા જીવન પર પડે છે. જ્યારે કુંડળીમાં ગ્રહની સ્થિતિ મજબૂત હોય છે, ત્યારે લોકોને સારા પરિણામ મળે છે. જો ગ્રહો નબળા હોય તો જાતકને પણ વિપરીત પરિણામનો સામનો કરવો પડે છે. ગ્રહોની અશુભ અસરને લીધે, સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે. ગ્રહો વિપરીત હોય તો રોગ ઘેરી વળે છે. આમ સીધો કે આડકરતો ગ્રહો સાથે બીમારીઓને સંબંધ રહેલો છે.
સૂર્ય ગ્રહ
સૂર્ય ગ્રહ બધા ગ્રહોનો રાજા છે. સૂર્યની અશુભ અસરોવાળા જાતકોને આંખો અને માથાને લગતા રોગો થવાનું પ્રારંભ થાય છે. કુંડળીમાં સૂર્ય ભગવાનને મજબૂત બનાવવા માટે, સૂર્ય ભગવાનને દરરોજ સૂર્યોદય સમયે જળ ચઢાવવું જોઈએ.
ચંદ્રમાં ગ્રહ
આ ગ્રહનો સીધો સંબંધ જળ અને મન સાથે છે. જો કુંડળીમાં ચંદ્રમાં નબળો હોય તો જાતકને કફ, માનસિક બીમારી થવા લાગે છે. કુંડળીમાં ચંદ્ર ગ્રહને મજબૂત કરવા માટે સોમવારે શિવજીની આરાધના કરવી જોઇએ.
મંગળ ગ્રહ
મંગળ રક્ત સાથે સંબંધિત છે. તેથી, જ્યારે મંગળ કુંડળીમાં અશુભ હોય છે, ત્યારે જાતકને લોહી સંબંધિત વધુ રોગો થવાનું શરૂ થાય છે. મંગળને મજબૂત બનાવવા માટે મંગળવારે હનુમાન જીની પૂજા કરો અને મંગળવારે વ્રત રાખો.
બુધ ગ્રહ
બુધ ત્વચા સાથે સંબંધિત છે. બુધ ગ્રહના નબળા થવા પર, વ્યક્તિને ત્વચા સંબંધિત રોગો થવાનું શરૂ થાય છે. બુધ ગ્રહ અને તેની સાથે સંકળાયેલ ખામી દૂર કરવા માટે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ જોઈએ.
ગુરુ ગ્રહ
ગુરુ સ્થૂળતાથી સંબંધિત છે. કુંડળીમાં ગુરુના નબળા થવાને કારણે વ્યક્તિને મેદસ્વીપણુ અને પેટને લગતી બીમારીઓ થવા લાગે છે. ગુરુને ખુશ કરવા ગુરુવારે પીળા કપડાં પહેરવા જોઈએ.
શુક્ર ગ્રહ
શુક્ર એ સમૃદ્ધિ અને વૈભવનો ગ્રહ છે. જ્યારે તે અશુભ હોય છે, ત્યારે વ્યક્તિને જાતીય રોગનો સામનો કરવો પડે છે. શુક્રની ખામી દૂર કરવા માટે નાના બાળકોને સફેદ રંગની મીઠાઈ ખવડાવવી જોઈએ.
શનિ ગ્રહ
શનિની નબળાઇને લીધે વ્યક્તિ શારીરિક થાક, ઈજાઓ વગેરેથી પરેશાન રહે છે. શનિને મજબૂત બનાવવા માટે શનિવારે શનિ મંદિરમાં તેલ ચઢાવવું જોઈએ.
રાહુ ગ્રહ
જ્યારે રાહુ કુંડળીમાં અશુભ હોય છે, ત્યારે વ્યક્તિને વારંવાર તાવ આવે છે. જો તમે રાહુથી પરેશાન છો તો તમને જેમ કે રક્તપિત્ત, ગરીબી જેવી વસ્તુઓ ઘેરી લેશે. જો તમે ભૂખ્યા લોકોને ભોજન વગેરે આપીને ખુશ કરો છો તો તમને રાહુની કૃપા ચોક્કસપણે મળશે.
કેતુ ગ્રહ
રાહુના નબળા થવાને કારણે વ્યક્તિને હાડકાં સંબંધિત રોગો થવા લાગે છે. કેતુની આડઅસરથી બચવા માટે સૌ પ્રથમ તમે તમારા વડીલોની સેવા કરો કૂતરાને મીઠી રોટલી પણ ખવડાવવી.