નોરતાના છેલ્લાં 3 દિવસ:સોમવારે આઠમ અને મંગળવારે નોમ તિથિ રહેશે, દેવી પૂજા પહેલાં ઘરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર છાંટવું જોઈએ

નોરતાના છેલ્લાં 3 દિવસ:સોમવારે આઠમ અને મંગળવારે નોમ તિથિ રહેશે, દેવી પૂજા પહેલાં ઘરને પવિત્ર કરવા માટે ગૌમૂત્ર છાંટવું જોઈએ

આજે નોરતાનો છઠ્ઠો દિવસ છે. છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિની આઠમ અને નોમ તિથિ સોમવારે અને મંગળવારે રહેશે. દેવી પૂજન કરતી સમયે જો થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પૂજા સફળ થઈ શકે નહીં. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દેવી પૂજામાં ધ્યાનમાં રાખવામાં આવતી જરૂરી વાતો...

 

  • નવરાત્રિમાં ઘરની અંદર અને બહાર યોગ્ય રીતે સાફ-સફાઈ કરવી જોઈએ. ગૌમૂત્ર છાંટવું. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને પવિત્રતા વધે છે.
  • દેવી પૂજામાં સુહાગનો સામાન રાખવો જોઈએ. જેમ કે, લાલ ચુંદડી, લાલ ફૂલ, કંકુ, સિંદૂર, લાલ બંગડી, ચાંલ્લો, ઘરેણાં વગેરે. પૂજા પછી આ સામગ્રી કોઈ મહિલાને દાન કરી દેવી જોઈએ.
  • દેવી દુર્ગા સાથે જ ગણેશજી, શિવજી, કાર્તિકેય સ્વામીની પણ પૂજા કરો. ગણેશજીની પૂજા સાથે દેવી પૂજન શરૂ કરવું જોઈએ. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું. ગણેશજીની દૂર્વા અર્પણ કરો. કાર્તિકેય સ્વામીનો પણ અભિષેક કરો.
  • દુર્ગા પૂજા કરતી સમયે દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ. દેવી મંત્ર- દું દુર્ગાયૈ નમઃ. તમે ઇચ્છો તો દેવી ભગવતીના નામનો જાપ કરી શકો છો.
  • નવરાત્રિમાં દેવી પૂજા સાથે નાની કન્યાઓની પણ પૂજા ચોક્કસ કરો. નાની કન્યાઓ દેવી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. પૂજા સાથે જ જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે ધન અને અન્ય સામગ્રી અર્પણ કરો.
  • દેવી પૂજા આ રીતે કરી શકો છો
    પૂજા પહેલાં ઘરમાં ગૌમૂત્ર અને ગંગાજળ છાંટવું. તે પછી ઘરના મંદિરમાં દેવી-દેવતાઓ ઉપર જળ અર્પણ કરો. ફૂલથી શ્રૃંગાર કરો. વસ્ત્ર અર્પણ કરો. ચંદન, કંકુનું તિલક કરો. ધૂપ-દીપ પ્રગટાવો.

    સૌથી પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશ પૂજા પછી દેવી દુર્ગાની, શિવજી અને કાર્તિકેય સ્વામીની પૂજા કરો. કળશ પૂજન કરો. મીઠાઈનો ભોગ ધરાવવો. આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ લો.

  • ( Source - Divyabhaskar )