26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ:આ વખતે દેવીનું આગમન અને વિદાય હાથી ઉપર જ થશે, આ વાહન સુખ અને સમૃદ્ધિનો સંકેત આપે છે

26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ:આ વખતે દેવીનું આગમન અને વિદાય હાથી ઉપર જ થશે, આ વાહન સુખ અને સમૃદ્ધિનો સંકેત આપે છે

 
  • આ વર્ષે દેવીનું આગમન અને પ્રસ્થાન બંને જ દેશ માટે શુભ રહેશે
  • આ વર્ષે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રહેશે. સોમવારથી દેવી આરાધનાનું પર્વ શરૂ થવું શુભ રહેશે. સોમવારના હોવાના કારણે દેવીનું વાહન હાથી રહેશે. જોકે, દેવીનું વાહન સિંહ છે, પરંતુ દરેક નવરાત્રિમાં માતા દુર્ગા અલગ-અલગ વાહન ઉપર સવાર થઈને ધરતી ઉપર આવે છે. દેવીના વિવિધ વાહન ઉપર સવાર થઈને આવવાથી તેનું અલગ-અલગ શુભ-અશુભ ફળ જણાવવામાં આવ્યું છે. ત્યાં જ, દશમ તિથિ બુધવારે હોવાથી દેવી હાથી ઉપર સવાર થઈને જ વિદાય લેશે.

    દેવી ભાગવત પ્રમાણે માતા દુર્ગા જે વાહનથી પૃથ્વી ઉપર આવે છે, તેના પ્રમાણે વર્ષભરમાં થતી ઘટનાઓનું પણ આંકલન કરવામાં આવે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે દેવીનું વાહન હાથી હોવું શુભ રહે છે. આ શુભફળના લીધે વર્ષભર પાણી વરસતું રહે છે. માતાનું વાહન હાથી જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. જેના કારણે દેશના લોકોના સુખ તથા જ્ઞાનમાં વધારો થશે અને તે સમૃદ્ધિનું સૂચક છે. તેનાથી સુખ વધશે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે. એટલે આ નવરાત્રિ શુભ રહેશે.

    આ વર્ષે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે જે 4 ઓક્ટોબર સુધી ચાલશે. વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાંથી બે ગુપ્ત અને અન્ય બે પ્રત્યેક્ષ નવરાત્રિ કહેવાય છે. શારદીય નવરાત્રિ આસો મહિનાના સુદ પક્ષની એકમ તિથિથી શરૂ થઈને નોમ તિથિ સુધી ચાલે છે. શરદ ઋતુમાં આવતી આ નવરાત્રિમાં દેવીની આરાધનાથી શક્તિ વધે છે.

    પૂજા કેવી રીતે કરો
    1. નવરાત્રિમાં દેવીને શ્રૃંગારનો સામાન ચઢાવવો જોઈએ. નારિયેળ અને સાડી પણ ચઢાવવી જોઈએ. સુહાગનો સામાન અને જાસૂદના ફૂલ ચઢાવવાથી દેવી પ્રસન્ન થાય છે. તેનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
    2. નવ દિવસ સુધી વ્રત કે ઉપવાસ કરવો જોઈએ. તેના દ્વારા સ્વાસ્થ્ય સારું રહે છે અને તપ વધે છે. નવરાત્રિમાં આ પ્રકારે દેવીની આરાધના કરવાથી શક્તિ અને ઉંમર વધે છે.
    3. નવરાત્રિમાં જરૂરિયાતમંદ લોકો અને કન્યાઓને ભોજન કરાવવાનું વિધાન દેવી ભાગવતમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.