રિઝર્વ બેન્કનો આદેશ:લોન વસૂલી માટે સવારે 8 પહેલાં, સાંજે 7 પછી કૉલ કરવાની મનાઈ

રિઝર્વ બેન્કનો આદેશ:લોન વસૂલી માટે સવારે 8 પહેલાં, સાંજે 7 પછી કૉલ કરવાની મનાઈ

 
  • ઉઘરાણી માટે ધાકધમકી આપવી નહીં
  • ભારતીય રિઝર્વ બેન્કે બેન્કો અને નાણાકીય સંસ્થાનોને સૂચન કર્યું છે કે તેઓ પોતાના રિકવરી એજન્ટોને લોન વસૂલી દરમિયાન ગ્રાહકો સાથે ગાળા-ગાળી અને ખરાબ વર્તન કરવાથી રોકો. જો આઉટસોર્સ કર્મચારી પણ જો આવું કરે છે તો બેન્ક કે નાણાકીય સંસ્થાન જ જવાબદાર રહેશે. રિકવરી માટે સવારે 8 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા બાદ ફોન ન કરવો જોઈએ.

    આરબીઆઇએ વેબસાઇટ પર જાહેર સરક્યુલરમાં કહ્યું, એજન્ટ ગાઇડલાઇન્સથી હટીને કામ કરી રહ્યા છે. બેંકો, સંસ્થાનોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે એજન્ટ લોન લેનાર લોકોને પરેશાન ન કરે. લોન વસૂલી માટે ડરાવવા-ધમકાવવા નહીં. કોઈ પણ લોન લેનારથી ગાળા-ગાળી કે મારામારી ન થવી જોઈએ. કેન્દ્રીય બેન્કે કહ્યું, એજન્ટ્સને લોન લેનારના દોસ્તો કે પરિજનોની સાથે સાર્વજનિક રીતે ગેરવર્તન ન કરવું જોઈએ. તેમની પ્રાઇવસીમાં પણ દખલ ન કરવી જોઈએ.

    લોન લેનાર લોકોને મોબાઇલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી ડરાવવા-ધમકાનાર મેસેજ ન મોકલવા જોઈએ. આ ઉપરાંત આવા ફોન કોલ પણ ન કરવા જોઈએ. આરબીઆઇએ કહ્યું, તેનું ઉલ્લંઘન કરવા પર ગંભીરતાથી પગલાં લેવામાં આવશે. મજબૂરીમાં અનેકવાર લોકોને લોન લેવી પડે છે. પરંતુ અનેકવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે હપ્તો ચૂકવી નથી શકતા. તેનાથી બેંકોના લોન રિકવરી એજન્ટ તેમને વસૂલીને લઈને હેરાન કરવા લાગે છે. અનેકવાર તો તેઓ ગાળા-ગાળી અને મારામારી પણ કરતા હોય છે. પરંતુ હવે આવું નહીં કરી શકે.

  • ( Soure - Divyabhaskar )