સુસાઈડ નોટમાં લખ્યું...આટા-સાટાએ મારું જીવન બરબાદ કરી દીધું, સમાજે જીવતા આપ્યું મોત

સુસાઈડ નોટમાં લખ્યું...આટા-સાટાએ મારું જીવન બરબાદ કરી દીધું, સમાજે જીવતા આપ્યું મોત

નાગૌરમાં આટા-સાટા ક્રુપ્રથાએ એક પરિણીતાનો જીવ લઈ લીધો. સામાન્ય રીતે લગ્ન પછી છોકરીઓ તેમના ઘર અને જીવનસાથી સાથે ખુશ રહેતી હોય છે. પરંતુ આ મામલે 21 વર્ષની સુમનનું જીવન મુરઝાઈ ગયું છે. તેણે ખૂબ સપના જોયા હતા, પરંતુ તેને તેના સપનોનો રાજકુમાર ના મળ્યો. સુમન આ લગ્નથી ખૂબ નારાજ હતી. તેનો અંદાજ તેની સુસાઈડ નોટથી મેળવી શકાય છે. તેણે લખ્યું હતું કે, મારા ચિતાને મારો નાનો ભાઈ અગ્નિ આપશે.

બે વર્ષ પહેલાં નાગૌર જિલ્લાના નાવાં પોલીસ સ્ટેશનના હેમપુરામાં બે દિવસ પહેલાં એક 21 વર્ષની પરણિત યુવતીએ સુમન ચૌધરીએ કુંવામાં કૂદીને તેનો જીવ આપી દીધો છે. લગ્ન પછી તેણે આને પોતાનું નસીબ માની લીધું. પતિ તેને છોડીને વિદેશમાં પૈસા કમાવા જતો રહ્યો હતો. તેના કારણે તે વધારે ટૂટી ગઈ. તે પિયર આવી ગઈ અને આઠ મહિનાથી અહીં જ રહેતી હતી.

Page 01
Page 02
Page 03

વાયરલ થઈ સુસાઈડ નોટ
આટા-સાટા કુપ્રથા દેવી ભૂલ કરવા માટે હવે સુમનના ઘરના લોકો તેને પાગલ અને માનસિક બીમાર ગણાવી રહ્યા છે. પરંતુ સુમનના મોત પછી તેની સુસાઈડ નોટ ઘણી વાયરલ થઈ રહી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, સામાજિક કુપ્રથા આટા-સાટાએ લાખો છોકરીઓનું જીવન બરબાદ કરી દીધું છે. આ પ્રથાના કારણે છોકરીઓને સમાજમાં જીવતી મારી દેવામાં આવે છે અને મારા મોતનું કારણ પણ સમાજ જ છે. જોકે પરિવાર તરફથી આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તે માનસિક બીમાર છે. સુસાઈડ નોટ મળ્યા પછી પોલીસ પણ તપાસ કરી રહી છે.

કાકાએ પોલીસને જણાવ્યું કે એ તો માનસિક બીમાર હતી
હેમપુરા ગામમાં રહેતા સુમનના કાકાએ પોલીસને જણાવ્યું કે, મારા ભાઈ નાનૂરામનું પહેલાં જ મોત થઈ ગયું છે. તેની છોકરી માનસિક બીમાર છે અને તેનો વર વિદેશ રહે છે. સુમન આઠ મહિનાથી અમારી સાથે જ રહેતી હતી. સુમન છેલ્લાં ચાર-પાંચ મહિનાથી માનસિક બીમાર હતી. તેના કારણે તેણે અમારા ઘરની પાસેના કુવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી અને તેનું મોત થયું.

વાંચો સુમનની સુસાઈડ નોટ
મારુ નામ સુમન ચૌધરી છે. મને ખબર છે આત્મહત્યા કરવી ખોટી વાત છે, તેમ છતાં હું સુસાઈડ કરવા માંગુ છું. મારા મરવાનું કારણ મારો પરિવાર નહીં, પરંતુ સંપૂર્ણ સમાજ છે. જેમણે આટા-સાટા નામની કુપ્રથા ચાલુ રાખી છે. તેના કારણે છોકરીઓને જીવતાજીવ મોત મળે છે. તેમાં છોકરીઓને સમાજના સારા પરિવારો તેમના છોકરાના બદલામાં વેચી દે છે.

સમાજની નજરે ડિવોર્સ લેવા ખોટા છે. પરિવાર વિરુદ્ધ લગ્ન કરવા ખોટા છે, તો પછી આટા-સાટા પ્રથા પણ ખોટી જ હોવી જોઈએ. આ પ્રથાના કારણે હજારો છોકરીઓના જીવન અને પરિવાર બરબાદ થયા છે. આ પ્રથાના કારણે ભણેલી-ગણેલી છોકરીઓના જીવન ખરાબ થઈ ગયા છે. આ પ્રથાના કારણે 17 વર્ષની છોકરીના લગ્ન 70 વર્ષના વૃદ્ધ સાથે કરી દેવામાં આવે છે. માત્ર પોતાના સ્વાર્થના કારણે.

હું ઈચ્છુ છું તે, મારા મોત પછી તેની વાતો થાય, કે મારા પરિવાર સામે આંગળી ચિંધાય તેના કરતાં આ પ્રથા સામે અવાજ ઉભા થવા જોઈએ. આ પ્રથાને બંધ કરવા માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. મારા દરેક ભાઈને તેની બહેનની રાખડીના સોંગધ, તે પોતાની બહેનનું જીવન ખરાબ કરીને તેમનું ઘર ના વસાવે. આજે આ પ્રથાના કારણે સમાજની વિચારસરણી ખૂબ ખરાબ થઈ ગઈ છે.