તમને ખબર છે કૃષ્ણને શા- માટે હતી 16000 પટરાણીઓ! જાણો તેના પાછળની હકીકત, 99% લોકો અજાણ

તમને ખબર છે કૃષ્ણને શા- માટે હતી 16000 પટરાણીઓ! જાણો તેના પાછળની હકીકત, 99% લોકો અજાણ

આજે અમે એવી જ એક લોકવાયકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આ લોકવાયકા પાછળનું સત્ય ખુબ જ રોચક છે અને તે વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ભગવાનને 16000 રાણીઓ હતી. તો ચાલો જાણીએ શું છે રહસ્ય અને તેની પાછળનું સાચું સત્ય..

આપણે નાનપણથી કે પાઠયપુસ્તકોમાં સાંભળ્યું કે ભણ્યા હશો કે, ભગવાન શ્રી કૃષ્ણએ 16000 લગ્ન કર્યા હતા. આપણા પુરાણોમાં અને મહાભારતમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાને 16008 રાણીઓ હતી. પરંતુ વાસ્તવમાં જો વાત કરવામાં આવે તો એ સમયે આ એક પ્રકારની ક્રાંતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે દ્વારિકાના નાથ હતા. તે સમયે એક નરકાસુર નામનો રાજા હતો. જે સ્ત્રીઓનું અપહરણ કરીને લઇ જતો હતો. આવા પાપી રાજાનો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો ત્યારે ત્યાં 16000 અપહૃત સ્ત્રીઓને નરકાસુરના ત્રાસ માંથી મુક્ત કરી હતી.

બધી સ્ત્રીઓ ખુશીથી ઘરે પોતપોતાના ઘરે ગઈ પરંતુ એ તેના ઘરના સભ્યોએ અને તેના પતિઓએ બધી જ સ્ત્રીઓને સ્વીકારવાની ના કહી દીધી. કેમ કે એ સમયની સામાજિક પરિસ્થિતિના હિસાબથી કોઈ પણ પર પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે તે અપવિત્ર અને અસામાજિક માનવામાં આવતું હતું.

મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓને જ્યારે પોતાના ઘરમાં સ્થાન ન મળ્યું ત્યારે તેની પાસે બે જ રસ્તા હતા. એક તો આત્મહત્યા કરી લે નહિ તો વ્યભિચાર કરવાનો. પરંતુ ત્યાં એક જ એવી જગ્યા હતી જ્યાં તેનો સ્વીકાર થાય. ત્યાર બાદ મુક્ત થયેલી બધી જ મહિલાઓ પોતાની ફરિયાદ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે. ત્યારે આ બધી સ્ત્રીઓને ન્યાય અને સામાજિક પ્રતિષ્ઠા મળે તેવું ખુબ જ મુશ્કેલ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કરવું પડ્યું હતું.

વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નરકાસુરનું સ્થાન આજના સમયમાં આસામ પ્રદેશની પાસે આવે છે. ગુજરાતથી લઈને આસામ સુધી કોઈ પણ એવો રાજા એ સમયમાં ન હતો કે જે નરકાસુર જેવા પાપી રાજાની સામે લડવાની હિંમત કરે. કેમ કે નરકાસુરને રોકવાની કે તેની ચેષ્ઠા કરવાનું કોઈ વિચારી પણ શકતા ન હતા. તો એ સમયે એક વ્યક્તિ નરકાસુરને પહોંચી વળે એવું હતું, ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ક્રાંતિકારી કામ કર્યું.

એક સામાજિક ક્રાંતિકારી નિર્ણય શ્રીકૃષ્ણના સમયમાં લેવાયો હતો જેની મિસાલ આજે પણ છે. એક રાજાએ કોઈ પણ રીતે સમાજમાં આવતા કલંક અને અધઃપતનને અટકાવવું જોઈએ. આજના સમાજવાદી લોકોએ આ બાબતને સમજવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ પણ જાણવું જોઈએ. કેમ કે અત્યારે સમાજવાદના નામ સમાજિક ભેદોને દુર કરવા જોઈ અને એક રાજનું અને નેતાનું આ કર્તવ્ય હોય છે.