શું મોદી સરકાર PoKમાં કંઈક મોટું કરવા જઈ રહી છે? IMDના એક જ સંકેતથી આખા PAKમાં ફફડાટ

શું મોદી સરકાર PoKમાં કંઈક મોટું કરવા જઈ રહી છે? IMDના એક જ સંકેતથી આખા PAKમાં ફફડાટ

ભારત અને પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનને લઈને સામસામે આવી ગયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાના આદેશ કર્યા છે જ્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)ના જમ્મુ-કાશ્મીર સબ-ડિવિઝને હવે ‘જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ કહેવાનું શરૂ કરી દીધું છે.

વર્તમાનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ એમ બંને વિસ્તારો પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો છે. પરંતુ હવે મોદી સરકાર ભારતના આ પ્રદેશો પાકિસ્તાનના કબજામાંથી પાછા લેવા સક્રિય બની છે. હવામાન વિભાગે નોર્થવેસ્ટ ઈન્ડિયા માટે જે અનુમાન જાહેર કર્યા તેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદનો શમાવેસ કર્યો છે.

IMDનું આ પગલું કેમ છે મહત્વપૂર્ણ?

IMD તરફથી જાહેર કરવામાં આવેલા હવામાન બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફારાબાદને સ્થાન આપવુ એ મહત્વનું પગલું છે. IMDના ડાઈરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, IMD સમગ્ર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ માટે વેધર બુલેટિન બહાર પાડે છે. અમે બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદનો ઉલ્લેખ કરી રહ્યાં છે કારણ કે તે ભારતનો હિસ્સો છે. આ મહિનાની શરૂઆતમાં જ ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે, પાકિસ્તાનનો આ વિસ્તારો પર કોઈ હક નથી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાન સરકારને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાના આદેશ આપ્યા હતાં. જોનો ભારત સરકારે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને તિખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાકિસ્તાને આ વિસ્તારમાં  હસ્તક્ષેપ કરવાનો કોઈ હક નથી.

પાકિસ્તાનની કોર્ટ નિર્ણય લઈ શકે નહીં-ભારત

વિદેશ મંત્રાલયે પાકિસ્તાના વરિષ્ઠ રાજનયિકને આપત્તિ પત્ર પણ આપ્યો હતો. નિવેદન મુજબ તથાકથિત ગિલગિટ અને બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટના આદેશ પર પાકિસ્તાન સમક્ષ આકરો વિરોધ વ્યક્ત કરાવ્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે સ્પષ્ટરીતે જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ સમગ્ર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન પણ સામેલ છે, તે સંપૂર્ણ રીતે કાનૂની અને અપરિવર્તનીય વિલય હેઠળ ભારતનું અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની સરકાર કે તેની ન્યાયપાલિકાને તે વિસ્તારોમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ હક નથી જે તેણે ગેરકાયદેસર રીતે તથા જબરદસ્તીથી કબ્જો જમાવેલો છે.

ભારતે આપ્યો કાયદાકીય હવાલો

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું હતું કે, સંસદમાંથી 1994માં પાસ થયેલા પ્રસ્તાવમાં જમ્મુ અને કાશ્મીર પર સ્થિતિ સ્પષ્ટ છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પાકિસ્તાનનું હાલનું પગલું કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કેટલાક ભાગો પર તેના ગેરકાયદે કબ્જાને છૂપાવી શકે નહીં. અને તેના પર પડદો નાખી શકે નહીં કે છેલ્લા સાત દાયકાથી આ વિસ્તારોમાં રહેતા લોકોના માનવાધિકારોનો ભંગ કરવામાં આવ્યો, શોષણ કરવામાં આવ્યું અને તેમને સ્વતંત્રતાથી વંછિત રાખવામાં આવ્યાં.

ભારતના નવા નકશામાં પીઓકેનો સમાવેશ

જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ ભારત સરકારે જે નવો નકશો બહાર પાડ્યો છે તેમાં પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર (પીઓકે)ના ભાગને કાશ્મીર વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેમાં પીઓકેના 3 જિલ્લા મુઝફ્ફરાબાદ, પંચ અને મીરપુરને સામેલ કરવામાં આવ્યાં છે. જે મોદી સરકારની સ્પષ્ટ નિતી દર્શાવે છે.