કાર્યવાહી / શાહપુરમાં બાળકોની રમકડાંની રથયાત્રામાં 300થી વધુ લોકો જોડાયા, ચારની ધરપકડ

કાર્યવાહી / શાહપુરમાં બાળકોની રમકડાંની રથયાત્રામાં 300થી વધુ લોકો જોડાયા, ચારની ધરપકડ

રમકડાંનાં રથ, ટ્રક, અખાડા લારીમાં લઈ બાળકો નીકળ્યા

અમદાવાદ. શાહપુરના લોકોએ સોમવારે સવારે જ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢી હતી. આ રથયાત્રામાં રથ, ટ્રકો, અખાડા, ભજન મંડળી લાકડાના હતા અને બાળકોએ લારીમાં રથ ખેંચ્યા હતા.પોલીસના નાક નીચેથી નીકળેલી આ રથયાત્રામાં 300 કરતાં વધારે લોકો જોડાયા હોવાથી પોલીસે તેમની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી 4 જણાની ધરપકડ કરી હતી.

સવારે 11 વાગ્યે કાઢી હતી રથયાત્રા
જય રણછોડ માખણ ચોરના નારા સાથે સોમવારે સવારે 11 વાગ્યે શાહપુર નાગોરીવાડથી નીકળેલી આ રથયાત્રા નવી વડવાળી પોળ ખાતે સંપન્ન થઈ હતી. આ વીડિયો શાહપુર પોલીસને મળ્યા પછી પીઆઈ આર.કે. અમીને જણાવ્યું હતું કે, રથયાત્રાનું આયોજન કરનારા નયન શિકારી, કુલદીપભાઇ રાજુભાઇ, ધર્મેશભાઇ અને ઉષાબહેન મનુભાઇના જમાઈ એમ 4ની ધરપકડ કરી હતી.