રાજ્યમાં વ્યાજખોરોની હવે ખેર નથી, પોલીસ વડાએ કર્યો આ મોટો આદેશ

રાજ્યમાં વ્યાજખોરોની હવે ખેર નથી, પોલીસ વડાએ કર્યો આ મોટો આદેશ

વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો પરિવાર સહિત આત્મહત્યા કરતા હોવાની ઘટનામાં ગંભીર વધારો થતાં વ્યાજખોરો પર અંકુશ લાવવા માટે રાજય પોલીસવડાએ તમામ પોલીસ સ્ટેશનોને વ્યાજખોરીની પ્રવૃત્તિ ડામવા આવા તત્ત્વો સામે પાસા, મનીલોન્ડરિંગ, ગુંડા ધારા સહિતની કલમો હેઠળના ગુના નોંધી આકરી કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.

ઊંચા વ્યાજે પૈસા ધીરીને લોકોની મિલ્કત પચાવી પાડવાના ઘણા બધા કિસ્સા પોલીસના ધ્યાનમાં આવ્યા હોવાથી રજિસ્ટાર મારફતે દેણદારને મિલકત પરત પણ અપાવવામાં આવશે. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને ટાંચમાં પણ લેવામા આવશે, તેમ ડીજીપીએ આ મામલે પ્રસિદ્ધ કરેલા પરિપત્રમાં જણાવાયું છે.

અમદાવાદના વેપારી અલ્પેશ વસોયાએ વ્યાજખોરોના ત્રાસના કારણે વડોદરાની હોટલમાં જઇને આપઘાત કર્યા હતો. જેની પાછળ ૧૦ વ્યાજખોરોએ વસોયા તેમજ તેના પરિવારમા આતંક ફેલાવ્યો હતો. આ ઉપરાંત પાલડીના અવનિશ પટેલના પરિવારે પણ વ્યાજખોરોના આતંકથી કારણે સામુહિક આપઘાત કર્યા હતો. વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી તેમણે ખોટી રીતે લોકોની મિલકતો પચાવી પાડી હોય તો તે પણ ટાંચમાં લેવાની સુચના આપી છે. ગેરકાયદેસર રીતે વ્યાજખોરીના ધંધામાં મોટાભાગના કેસમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જ ભાગીદાર હોવાના કિસ્સા પણ બહાર આવ્યા હતા.