BJPની ‘રાત’ નીતિ પર ભારે પડી શરદ પવારની રાજનીતિ, મહારાષ્ટ્રમાં પલટાઈ જશે ગેમ?

BJPની ‘રાત’ નીતિ પર ભારે પડી શરદ પવારની રાજનીતિ, મહારાષ્ટ્રમાં પલટાઈ જશે ગેમ?

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉલટફેર પોતાના ચરમ પર છે. ગઈકાલે સવાર સુધી એકલા અને ઠગાયેલા નજર આવેલા એનસીપી પ્રમુખ શરદ પવારે સાંજ થતા-થતા ફરીથી પોતાના પાવરનું પ્રદર્શન કર્યું છે. શિવસેનાની સાથે સરકાર ગઠનમાં લાગેલી એનસીપી અને કૉંગ્રેસને એ વખતે ઝાટકો લાગ્યો જ્યારે પવારનાં ભત્રીજા અજિત પવારે રાતોરાત પાસું પલટી દીધું અને શનિવાર સવારે બીજેપી સાથે મળીને સરકાર બનાવી લીધી.

શરદનો અજિત પર દગો આપ્યાનો આરોપ

અજિત પવારનાં નિર્ણયથી પવાર ચોંકી ગયા હતા, કેમકે તેમણે ખુદ કહ્યું કે આ નિર્ણયની તેમને કોઈ જાણકારી નહોતી. સવારે પોતાની પ્રેસ વાર્તમાં શરદ પવારે પોતાના સહયોગી શિવસેનાને જણાવ્યું કે હજુ પણ એનસીપી ઉદ્ધવ ઠાકરેની સાથે છે અને બીજેપીની આગેવાનીવાળી સરકાર વિધાનસભામાં બહુમત સાબિત નહીં કરી શકે. શરદ પવારે અજિત પર પાર્ટીને દગો આપવાનો આરોપ લગાવ્યો છે.

49 ધારાસભ્યોનાં સમર્થનનો એનસીપીનો દાવો

ત્યારબાદ સાંજે ઘટનાક્રમ બદલાતો રહ્યો. એનસીપી ધારાસભ્યોની બેઠકમાં શરદ પવાર ઉત્સાહિત જોવા મળ્યા, કેમકે તેમના 40થી વધારે ધારાસભ્યો જોવા મળ્યા. બીજી તરફ જ્યારે બેઠક ચાલી રહી હતી ત્યારે અજિત પવાર પોતાના ઘરે ફોન પર વ્યસ્ત જોવા મળ્યા એનસીપીએ દાવો કર્યો કે તેની પાસે 49 ધારાસભ્યોનું સમર્થન છે અને આમાં કેટલાક એ ધારાસભ્યો પણ છે જે અજિત પવાર સાથે ગયા હતા. આ બેઠક દરમિયાન શરદ પવારે પોતાના સહયોગી દળોનાં નેતાઓને ફોન કરીને બધું નિયંત્રણમાં હોવાની વાત કરી.

અજિત સાથે ગયેલા ધારાસભ્યો પણ શરદની મીટિંગમાં

બીજેપી અને અજિત પવારે રાતોરાત ગણિત લગાવીને સરકાર જરૂર બનાવી લીધી હોય, પરંતુ એકવાર ફરી બાજી શરદ પવારનાં હાથમાં જતી જોવા મળી રહી છે. શરદ પવારની પાસે અત્યારે પાર્ટીનાં 49 ધારાસભ્યોનું સમર્થન છે. સાથે જ અજિતનાં ભરોસાપાત્ર કહેવામાં આવી રહેલા ધનંજય મુંડે પણ શરદની સાથે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા જે સવારે અજિત પવારની સાથે નજર આવી રહ્યા હતા. આ દરમિયાન અજિત પવાર ઘરમાં બંધ રહ્યા અને તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ નજર આવી રહી હતી.

બીજેપીએ બહુમત સાબિત કરવા 145નો આંકડો પાર કરવાનો રહેશે

મહારાષ્ટ્રની રાજકીય જંગ હવે સુપ્રીમ કૉર્ટમાં છે, જ્યાં શિવસેના-કૉંગ્રેસ અને એનસીપીની સંયુક્ત અરજીમાં રાજ્યપાલનાં નિર્ણયને પડકાર્યો છે. અરજી પર રવિવાર સવારે સુનાવણી થવાની છે, જેમાં 24 કલાકની અંદર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટની માંગ કરવામાં આવી છે. બીજેપીની પાસે ફક્ત 105 ધારાસભ્ય છે, જ્યારે તેને બહુમત માટે 145નો આંકડો પાર કરવાનો છે. આવામાં કૉર્ટ તરફથી જલદી ફ્લોર ટેસ્ટનો આદેશ આવે છે તો ફડણવીસ સરકાર મુશ્કેલીમાં આવી શકે છે.