ગુડ ન્યૂઝ: ચીનમાં કોરોના વાઈરસના 90 ટકા દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

ગુડ ન્યૂઝ: ચીનમાં કોરોના વાઈરસના 90 ટકા દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

ચીનમાં કુલ 81093 દર્દીઓમાંથી 72703 દર્દીઓ સાજા થઈ ગયા

  • ચીનમાં હાલ 5120 જ એક્ટિવ કેસ
  • ચીનમાં કોરોના વાઈરસથી 3227 લોકો મોતને ભેટ્યા છે, તેમાંથી 3150 લોકો તો વુહાનના જ છે.

બેઈજિંગ: કોરોના વાઈરસથી વિશ્વભરના દેશમાં અત્યાર સુધીમાં 14700થી વધારે લોકોના મોત થયા છે અને ત્રણ લાખ 39 હજારથી વધારે પોઝિટિવ કેસ છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઈરસને લઈને ફફડાટ છે. ત્યારે ચીન તરફથી આ વાઈરસના સંક્રમણને લઈને સારા સમાચાર આવ્યા છે. ચીને કહ્યું કે કોરોના પોઝિટિવ કેસમાંથી 90 ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

કોરોના વાઈરસની શરૂઆત જ ચીનથી થઈ હતી અને ત્યા 81 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જેમાં 3227 લોકોના મોત થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમીશને કહ્યું છેકે કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ રિકવર થઈ ગયા છે અને તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ નિવેદનમાં જણાવાય મુજબ હાલ ચીનમાં માત્ર 5120 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 81093 દર્દીઓમાંથી 72703 દર્દીઓ સાજા થઈ ગયા છે.
  
હુબઈ કે જ્યાંથી વાઈરસની શરૂઆત થઈ હતી ત્યાથી એક પણ નવો દર્દી નોંધાયો નથી. ચીનમાં 39 નવા કેસમાંથી તમામ દર્દીઓને વિદેશમાંથી લવાય છે. એટલે કે ચીનમાં એક પણ કેસ નોંધાયો નથી. હુબેઈ અને તેની રાજધાની વુહાનમાં આ વાઈરસથી સૌથી જાનહાની થઈ છે. અહીં 67800 કેસ નોંધાયા છે અને 3153 લોકો મોતને ભેટ્યા છે.