ફેક TRPના આરોપો વચ્ચે જાણો ટીઆરપી એટલે શું અને કઈ રીતે નક્કી થાય છે ટીવીની વ્યૂઅરશિપ

ફેક TRPના આરોપો વચ્ચે જાણો ટીઆરપી એટલે શું અને કઈ રીતે નક્કી થાય છે ટીવીની વ્યૂઅરશિપ

મુંબઈ પોલીસે ગુરૂવાર સાંજે ટીવી ચેનલોની ટીઆરપીને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. મુંબઈ પીલોસ કમિશ્નર પરમબીર સિંહે સ્પષ્ટ કહ્યું કે કેટલીક ટીવી ચેનલે પૈસા આપીને પોતાની ટીઆરપી વધારી હતી. ટીઆરપી એટલે કે ટેલીવિઝન રેટિંગ પોઇન્ટ એક એવું ઉપકરણ છે જેના દ્વારા એ જાણી શકાય છે કે કયો પ્રોગ્રામ અથવા ટીવી ચેનલ સૌથી વધુ જોવાઈ રહી છે. સાથે જ આના દ્વારા કોઈ પણ પ્રોગ્રામ અથવા ચેનલની પોપ્યુલારિટીને સમજવામાં મદદ મળે છે એટલે કે લોકો કોઈ ચેનલ અથવા પ્રોગ્રામને કેટલીવાર અને કેટલા સમય સુધી જુએ છે. પ્રોગ્રામની ટીઆરપી સૌથી વધારે હોવી મતલબ સૌથી વધારે દર્શકો એ પ્રોગ્રામને જોઇ રહ્યા છે.

પીપલ્સ મીટર

ટીઆરપી એડવર્ટાઇઝ આપનારાઓ અને ઇન્વેસ્ટર્સ માટે ઘણી ઉપયોગ હોય છે, કેમકે આનાથી તેમને જનતાનો મૂડ પસંદ આવે છે. એક ચેનલ અથવા પ્રોગ્રામની ટીઆરપી દ્વારા જ એડવર્ટાઇઝ આપનારને સમજમાં આવશે કે તેને પોતાની એડ ક્યાં આપવી છે અને ઇન્વેસ્ટર્સ સમજશે કે તેણે પોતાના પૈસા ક્યાં લગાવવા છે. ટીઆરપી માપવા માટે કેટલીક જગ્યાએ પીપલ્સ મીટર (People’s Meter) લગાવવામાં આવે છે. આને એ રીતે સમજી શકીએ છીએ કે કેટલાક હજાર દર્શકોનો ન્યાય અને સેમ્પલ માટે સર્વે કરવામાં આવે છે અને આ દર્શકોના આધાર પર તમામ દર્શકો માની લેવામાં આવે છે જે ટીવી જોઇ રહ્યા હોય છે. હવે આ પીપલ્સ મીટર Specific Frequency દ્વારા એ જાણવા મળે છે કે કયો પ્રોગ્રામ અથવા ચેનલ કેટલીવાર જોવાઈ રહ્યો છે.

Indian Television Audience Measurementને મોકલાય છે એક-એક મિનિટની જાણકારી

આ મીટર દ્વારા એક-એક મિનિટની ટીવીની જાણકારી Monitoring Team INTAM એટલે કે Indian Television Audience Measurement સુધી પહોંચાડવામાં આવે છે. આ ટીમ પીપલ્સ મીટરથી મળેલી જાણકારીનું વિશ્લેષણ કરીને એ નક્કી કરે છે કે કઈ ચેનલ અથવા પ્રોગ્રામની ટીઆરપી કેટલી છે. આને ગણવા માટે એક દર્શક દ્વારા નિયમિત રીતે જોવામાં આવનારા પ્રોગ્રામ અને સમયને સતત રેકૉર્ડ કરવામાં આવે છે અને પછી આ ડેટાથી 30 ગુણ્યા કરીને પ્રોગ્રામની એવરેજ રેકોર્ડ નીકાળવામાં આવે છે. આ પીપલ મીટર કોઈ પણ ચેનલ અથવા પ્રોગ્રામ વિશે સંપૂર્ણ જાણકારી નીકાળી લે છે.

 ટીઆરપીના વધારે અથવા ઓછા થવાની અસર એ ટીવી ચેનલની ઇનકમ પર

કોઈ પણ પ્રોગ્રામ અથવા ટીઆરપીના વધારે અથવા ઓછા થવાની સીધી અસર એ ટીવી ચેનલની ઇનકમ પર પડે છે, જેમાં તે પ્રોગ્રામ આવી રહ્યો હોય છે. જો કોઇ પ્રોગ્રામ અથવા ચેનલની ટીઆરપી ઓછી છે તો તેનો મતલબ છે કે લોકો તેને ઓછું જોઇ રહ્યા છે. આવામાં તેને ઓછી એડ અને ઓછા પૈસા મળશે, પરંતુ જો કોઈ ચેનલ અથવા પ્રોગ્રામની ટીઆરપી વધારે છે તો ત્યાં એડ આપવા વિજ્ઞાપનદાતા ઇચ્છશે અને વધારે પૈસા પણ આપશે.

શું છે ટીઆરપી રેટ?

ટીઆરપી રેટ એ છે જેના પર એક ટીવી ચેનલની ટીઆરપીની ગણના થાય છે. કોઈ પણ ચેનલ અથવા પ્રોગ્રામની ટીઆરપી તેના પર દેખાડવામાં આવનારા પ્રોગ્રામ પર નિર્ભર કરે છે. આને એ રીતે સમજી શકાય છે કે કોઈ ફિલ્મ સ્ટાર ફિલ્મના પ્રમોશન માટે કોઈ પ્રોગ્રામમાં આવે છે તો તે કારણે એ પ્રોગ્રામની ટીઆરપી વધી જાય છે, કેમકે લોકો એ સ્ટારને જોવાનું વધારે પસંદ કરે છે.