ગાંધીનગર ખાતે રૂ.300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણા ધામ, શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ અને CMએ આપી હાજરી
ગાંધીનગર ખાતે રૂ.300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણા ધામ, શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ અને CMએ આપી હાજરી

ગાંધીનગર ખાતે રૂ.300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણા ધામ, શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ અને CMએ આપી હાજરી

અમદાવાદ-મહેસાણા હાઇવે પર જમિયતપુરા ગામ પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે આકાર લેનાર આંજણા ધામના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજના શૈક્ષણિક સંકુલ માટે માતબર દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વિવિધ સમાજના લોકો તેમના સમાજ માટે ભગીરથ કાર્યો કરી રહ્યા છે. ત્યારે આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે ભવ્ય શૈક્ષણિક સંકુલ આંજણા ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ-મહેસાણા હાઇવે પર જમિયતપુરા ગામ પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે આકાર લેનાર આંજણા ધામના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે સમાજના શૈક્ષણિક સંકુલ માટે માતબર દાન આપનાર ચૌધરી સમાજના દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું 'આંજણા ધામ’ નિર્માણ પામશે.

આંજણાધામ માટે દાન આપનાર સમાજના દાનવીર આગેવાનોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વયં પણ રૂપિયા પાંચ લાખના દાનની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, પરિશ્રમ અને મહેનતનો પૈસો પવિત્ર હોય છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજશક્તિનો પરિચય સમાજે દેશવિદેશમાં પણ આપ્યો છે. ગ્રામ-સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરૂષાર્થી સમાજ છે.

આંજણાધામના દાતા અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, આંજણાધામનો શિલાન્યાસ એ ચૌધરી સમાજ માટે ઐતિહાસિક અવસર છે. તેમણે દાનનો મહિમા સમજાવતા કહ્યું કે, જે સમાજ દાતાઓનું સન્માન કરે છે તે રાષ્ટ્ર આગવી પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ મેળવે છે.