ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, આયોજનથી લઈને વિસર્જન સુધીના નિયમો જાણી લો
ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, આયોજનથી લઈને વિસર્જન સુધીના નિયમો જાણી લો

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ પોલીસનું જાહેરનામું, આયોજનથી લઈને વિસર્જન સુધીના નિયમો જાણી લો

આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે તહેવાર દરમિયાન સુરક્ષા-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ, લાઉડ સ્પીકર, શોભાયાત્રા, વિસર્જન તથા સરઘસ સહિતના નિયમો અને સૂચનો આપવામાં આવ્યા છે.

શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ દ્વારા અપાશે. આ સિવાય લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્પાપના માટેની પરમીટ મેળવવા માટે અરજી આફવામાં આવે તે જ દિવસે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવાની અરજી પણ પોલીસને ફરજિયાત આપવાની રહેશે.

આ ઉપરાંત જો ગણેશ મહોત્સવની શોભાયાત્રા અથવા સરઘસ માટેનો રૂટ એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના માટે અરજી કરવામાં આવી હોય, વિસર્જન સરઘસની પરમીટ પણ તે પોલીસ સ્ટેશનમાંથી જ આપવામાં આવશે. અને જો ગણેશ વિસર્જનની શોભાયાત્રા કે સરઘસ એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થવાની હોય તો આ અંગેની પરમીટ પોલીસ કમિશનર કચેરી તરફથી આપવામાં આવશે.