ઉત્સવ:દેવી દુર્ગાને લાલ ચુંદડી અને લાલ ફૂલ ચઢાવો, દીવો પ્રગટાવીને મંત્રોનો જાપ કરો, આ દિવસોમાં અધાર્મિક કાર્યોથી બચવું

ઉત્સવ:દેવી દુર્ગાને લાલ ચુંદડી અને લાલ ફૂલ ચઢાવો, દીવો પ્રગટાવીને મંત્રોનો જાપ કરો, આ દિવસોમાં અધાર્મિક કાર્યોથી બચવું

 
  • 2 થી 10 એપ્રિલ સુધી ચૈત્ર નોરતા, કોઇ બ્રાહ્મણની મદદ લઇને મંત્રોનો જાપ કરાવી શકાય છે
  • આજે શનિવાર, 2 એપ્રિલથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. દુર્ગા પૂજાનો આ પર્વ રવિવાર, 10 એપ્રિલ સુધી ચાલશે. આ દિવસોમાં દુર્ગા સપ્તશતીનો અને દેવીના મંત્રનો જાપ કરવાનું વિશેષ મહત્ત્વ છે. મંત્ર જાપ યોગ્ય વિધિ, ભક્તિ અને એકાગ્રતા સાથે કરવામાં આવે તો જલ્દી જ પોઝિટિવ ફળ મળી શકે છે. ધ્યાન રાખો કે મંત્ર જાપ કરતી સમયે ઉચ્ચારણમાં કોઇ ભૂલ થવી જોઇએ નહીં. જાપ કરનાર વ્યક્તિએ સાફ-સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અધાર્મિક કાર્યો જેમ કે, ચોરી કરવી, ખોટું બોલવું, માતા-પિતાનો અનાદર કરવો, મહિલાઓનું અપમાન કરવું, લાલચ, નશો વગેરે અવગુણોથી બચવું જોઇએ.

    ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જો મંત્ર જાપ કરવામાં મુશ્કેલી આવી રહી હોય કે મંત્રોનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરી શકતા ન હોઇએ તો આ મંત્રનો જાપ કોઇ બ્રાહ્મણની મદદ લઇને પણ કરાવી શકાય છે. દેવી દુર્ગાને લાલ ચુંદડી અને લાલ ફૂલ પણ ચઢાવવા જોઇએ.

  • મંત્ર જાપની સરળ વિધિ
    ચૈત્ર નોરતામાં રોજ સવારે જલ્દી જાગવું. સ્નાન વગેરે કર્મો કર્યા પછી ઘરના મંદિરમાં સૌથી પહેલાં ગણેશજીની અને પછી માતા દુર્ગાની પૂજા કરો. પૂજામાં દેવી માતાની પ્રતિમાનો અભિષેક કરો, વસ્ત્ર અર્પણ કરો. ફૂલ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. તે પછી આસન ઉપર બેસીને મંત્રનો જાપ કરો.

    મંત્ર જાપ માટે લાલ ચંદનના મોતિઓની માળા કે રૂદ્રાક્ષ કે સ્ફટિકની માળાનો ઉપયોગ કરી શકો છો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ.

    દેવી માતાના થોડા ખાસ મંત્ર

    • ऊं ह्रीं दुं दुर्गायै नम:
    • सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके। शरंयेत्र्यंबके गौरी नारायणी नमोस्तुते।।
    • ऊँ जयंती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
    • ऊँ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै।
    • મંત્ર જાપ કરનાર ભક્તોએ આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું
      આ મંત્રનો જાપ યોગ્ય ઉચ્ચારણ સાથે કરો. મંત્ર જાપના ઉચ્ચારણમાં ભૂલ થવાથી જાપનું ફળ મળી શકતું નથી, પૂજા નિષ્ફળ થઇ શકે છે.

      રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન કાર્યો કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઇ અન્ય દેવી મંદિરમાં મંત્ર જાપ કરો. ખોટા કાર્યો કરવાથી બચવું. મંત્ર જાપ કરનાર વ્યક્તિએ સંપૂર્ણ પ્રકારે ધર્મનું પાલન કરવું જોઇએ.

    • ( Source - Divyabhaskar )