રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોદીના પ્રયાસો:PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટ અને પુતિન સાથે 50 મિનિટ સુધી વાત કરી; ભારતીયોને સલામત બહાર કાઢવા પર ભાર આપ્યો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોદીના પ્રયાસો:PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટ અને પુતિન સાથે 50 મિનિટ સુધી વાત કરી; ભારતીયોને સલામત બહાર કાઢવા પર ભાર આપ્યો

 
  • મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતની પણ પ્રશંસા કરી હતી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી વાત કરી હતી. તેમણે એ વાત પર સૌથી વધુ ભાર મૂક્યો કે યુદ્ધ-ક્ષેત્રમાંથી ભારતીયોને સલામત રીતે બહાર નીકળવા દેવા જોઈએ. મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીતની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રશિયા તરફથી યુદ્ધવિરામની જાહેરાત અને માનવતાવાદી કોરિડોરની રચના બાબતની પણ પ્રશંસા કરી હતી.
  • પુતિન સાથે વાત કરતા પહેલા PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ ફોન પર 35 મિનિટ સુધી વાત કરી હતી. 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી 26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કી સાથે પહેલીવાર વાત કરી હતી.

    પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન વચ્ચેના સીધા સંવાદની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના સમર્થનનો આભાર માન્યો હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે યુક્રેન સરકારનો સહયોગ માંગ્યો હતો. PM મોદીએ કહ્યું હતુ કે મને આશા છે કે સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટેના પ્રયાસોમાં યુક્રેન સરકાર સતત મદદ કરતી રહેશે.

  • યુદ્ધ વચ્ચે પુતિન સાથે ત્રીજી વખત વાત કરી
    વડાપ્રધાન મોદીએ 24 ફેબ્રુઆરીની રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ રશિયાએ UN સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ભારતનું સમર્થન માંગ્યુ હતું. 2 માર્ચે બંને નેતાઓએ બીજી વખત વાતચીત કરી હતી. જેમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે મોદીની ઝેલેન્સ્કી અને પુતિન સાથે ચર્ચા
    પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ઝેલેન્સ્કી અને પુતિન સાથે વાતચીત દરમિયાન ચર્ચા કરી હતી.

  • કેન્દ્ર સરકારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ સાથે ભારતીય નાગરિકોને બહાર નીકળવા માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરતાં પહેલાં યુક્રેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે પણ યુદ્ધવિરામ માટે હાકલ કરી છે, જેને રશિયાએ પસંદગીપૂર્વક લાગુ કર્યું છે.

    UNમાં રશિયા વિરુદ્ધ મતદાનથી ભારત દૂર રહ્યું

    રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર 2 માર્ચની રાત્રે મતદાન થયું હતું. પ્રસ્તાવની તરફેણમાં 141 અને વિરોધમાં 5 મત પડ્યા હતા. ભારત સહિત 35 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં રશિયા, બેલારુસ, ઉત્તર કોરિયા, ઈરિટ્રિયા અને સીરિયા હતા. ગેરહાજરમાં ભારત, ચીન, પાકિસ્તાન, ઈરાક અને ઈરાનનો સમાવેશ થાય છે

    રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતનું વલણ મહત્ત્વપૂર્ણ છે. ભારતે યુક્રેનિયન નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને યુક્રેનને માનવતાવાદી સહાય મોકલી છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા સામેના પ્રસ્તાવથી દૂર રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ભારત તરફથી રાજકીય સમર્થનની માગ પર, પીએમ મોદીએ શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવાની વાત કરી હતી. મોદીએ યુદ્ધ પર ઊંડી વ્યથા વ્યક્ત કરી હતી અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા અપીલ કરી હતી.

    મોદીએ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી
    રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી પીએમ મોદીએ રશિયા-યુક્રેન કટોકટીની સ્થિતિ અને સ્થળાંતર કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી છે. છેલ્લા એક સપ્તાહમાં ઓપરેશન ગંગા હેઠળ 10,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખાર્કિવ અને સુમી સિવાય લગભગ તમામ ભારતીયોને બાકીના યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.