જો લગ્ન માટે છોકરી ના મળી રહી હોય તો કરો આ ઉપાય, માંગાની લાઇનો લાગશે

જો લગ્ન માટે છોકરી ના મળી રહી હોય તો કરો આ ઉપાય, માંગાની લાઇનો લાગશે

જો લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય અથવા પછી તમારો સંબંધ વારંવાર તૂટી રહ્યો હોય તો ચિંતા ના કરો. આ ઉપાય ના ફક્ત સંબંધોની લાઇન લગાવી દેશે, પરંતુ આને અપનાવાથી મનપસંદ જીવનસાથી પણ મળી જાય છે. લાલ પુસ્તક અનુસાર જો તમને લગ્ન યોગ્ય વર અથવા વધુ નથી મળી રહી તો લોખંડના બનેલા બેડ પર ના ઊંઘો. ધ્યાન આપો કે વિવાહ યોગ્ય યુવક-યુવતીઓએ ક્યારેય પણ પોતાના બેડની નીચે લોખંડની ચીજો ના રાખવી જોઇએ અને સાફ-સફાઈનું પણ ધ્યાન રાખવું જોઇએ.

દર પૂનમના દિવસે વટવૃક્ષની પરિક્રમા જરૂર કરો

લાલ પુસ્તક પ્રમાણે દર ગુરૂવારના અને દર પૂનમના દિવસે વટવૃક્ષની પરિક્રમા જરૂર કરો. ઓછામાં ઓછી 108 વાર પરિક્રમા કરવી જોઇએ. સાથે જ વટ વૃક્ષ, પીપળ અને કેળાના ઝાડમાં પણ પાણી આપવું જોઇએ. આવું કરવાથી વિવાહના યોગ જલદી બને છે.આ ઉપરાંત ગુરૂવારના દેવગુરૂ ગુરૂની પૂજા કરો અને 2 આટાના પેડા થોડી હળદર લગાવીને ગાયને ખવરાવો. ઇચ્છો તો તમે ચણાની દાળની સાથે ગોળ પણ ખવરાવી શકો છો. ગુરૂવારના ન્હાવાના પાણીમાં થોડીક હળદર લગાવીને ન્હાવ. સાથે જ પીળું ભોજન ગ્રહણ કરો. માન્યતા છે કે આનાથી લગ્નના યોગ બળવાન થાય છે.

ભગવાન શિવની પૂજા કરવી જોઇએ

જો છોકરીનો લગ્નનો સંબંધ વારંવાર તૂટી જતો હોય તો ભગવાન શિવની પૂજા કરવી જોઇએ. આ માટે 5 નારિયેળ શિવલિંગ આગળ રાખીને ઓમ્ શ્રી વર પ્રદાય શ્રી નમ: મંત્રનો 5 માળા જાપ કરવો જોઇએ. ત્યારબાદ નારિયેળ શિવલિંગ પર ચઢાવી દો. જલદી લગ્ન માટે છોકરી અથવા છોકરાએ શિવલિંગ પર કાચું દૂધ, બિલિપત્ર, અક્ષત અને કુમકુમ ચઢાવીને પૂજા કરવી જોઇએ. માન્યતા છે કે આનાથી જલદી લગ્ન થાય છે.