‘કાલે સતયુગ આવશે તો તે જીવિત થઈ જશે’ બોલી પ્રિન્સિપાલ માતાએ ડંબલ વડે બે દીકરીઓને મારી નાખી

‘કાલે સતયુગ આવશે તો તે જીવિત થઈ જશે’ બોલી પ્રિન્સિપાલ માતાએ ડંબલ વડે બે દીકરીઓને મારી નાખી

આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) ચિત્તુરથી (Chittoor) એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીં એક માતાપિતા પોતાના જ બે બાળકો માટે યમદૂત બની ગયા હતા. અંધવિશ્વાસના ચક્કરમાં માતાએ પોતાની બે દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાની આ કરતૂતમાં પિતા પણ સામેલ હતા. આરોપીઓએ આ ઘટનાને રવિવારે ચિત્તુરના મદનાપલ્લે વિસ્તારમાં આવેલાં પોતાના ઘરમાં અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પાડોશીઓ પણ હેરાન થઈ ગયા કે આટલાં ભણેલાં હોવા છતાં પ્રિન્સિપાલ દંપતીએ અંધવિશ્વાસમાં આવી ગયા અને પોતાની બે દીકરીઓની કરપીણ હત્યા કરી દીધી.

માતાએ ડમ્બલ વડે કરી નિર્મમ હત્યા

મૃતકોની ઓળખાણ 27 વર્ષીય અલેખ્યા અને 22 વર્ષીય સાઈ દિવ્યા છે. આ પરિવાર મદનાપલ્લેમાં શિવાલયમ ટેમ્પલ સ્ટ્રીટમાં રહેતા હતા. પોલીસનું કહેવું છે કે આરોપી માતાએ પોતાની બંને દીકરીઓ પર ડમ્બલ વડે હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આરોપીઓની મોટી દીકરી અખેલ્યાએ ભોપાલથી માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી હતી તો નાની દીકરી સાઈ દિવ્યાએ બીબીએ કર્યું હતું. સાઈ દિવ્યા મુંબઈમાં એઆર રહેમાન મ્યુઝિક સ્કૂલની સ્ટુડન્ટ પણ હતી અને લોકડાઉન દરમિયાન ઘરે પરત ફરી હતી.

લાલ કપડાંથી લાશો ઢાંકેલી હતી

પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે આ પરિવાર લોકડાઉન દરમિયાનથી જ અજીબ રીતે વર્તન કરતા હતા. રવિવારની રાત્રે આ ઘરમાં ચીસો સંભળાતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘરે પહોંતી તો દંપતીએ ઘરને અંદરથી બંધ કરી દીધું હતું. જેમ તેમ પોલીસ અંદર ગઈ અને જે નજારો જોય તે જોઈને ચોંકી ઉઠી ગતી. એક દીકરીની લાશ પુજાઘરમાં મળી તો બીજીની લાશ એક રૂમમાં પડી હતી. બંનેની લાશ પર લાલ કપડું ઢાંકેલું હતું.

સતયુગ આવશે તો બંને દીકરીઓ જીવિત થશે

પોલીસનું કહેવું છે કે જ્યારે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ જઘન્ય અપરાધ માટે બંનેના ચહેરા પર સહેજ પણ પસ્તાવો ન હતો. પોલીસે કારણ પુછ્યું તો તેઓએ કહ્યું કે, તેમની બંને દીકરીઓ સુરજ ઉગવાની સાથે જ જીવિત થઈ જશે, કેમ કે કળિયુગ ખતમ થઈ જશે અને સોમવારથી સતયુગ શરૂ થશે. દંપતીને પોતાની આ વાત પર તેમને પૂરો વિશ્વાસ હતો. પોલીસે આરોપી દંપત્તીની ધરપકડ કરી છે.

( Source – Sandesh )