અમદાવાદ / ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ

અમદાવાદ / ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ

સરદારધામ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રતિમાનું અનાવરણ

અમદાવાદઃ સરદારધામ, વૈષ્ણવદેવી સર્કલ પાસે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી યોજાશે. સમિટના પ્રથમ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ સરદારધામ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રતિમા માટે દાન આપનાર રણછોડભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.