ઇરાન – અમેરિકા વચ્ચે યુદ્ધનાં એંધાણ

ઇરાન – અમેરિકા વચ્ચે યુદ્ધનાં એંધાણ

અમેરિકાએ ડ્રોન હુમલામાં ઈરાનના જનરલ કાસીમ સુલેમાનીને મારી નાંખ્યા

બગદાદમાં યુએસ દૂતાવાસ પર ઈરાન સમર્થિત દેખાવકારોના હુમલાનો બદલો લેવા અમેરિકાએ સુલેમાની પર હુમલો કર્યો

સુલેમાનીના મોતે ઈરાન-અખાતના સ્વતંત્ર દેશોનો અમેરિકાની દાદાગીરી વિરૂદ્ધ ઊભા થવાનો દ્રઢસંકલ્પ બમણો કર્યો : રૂહાની

સુલેમાની ખામૈની પછી બીજી સૌથી લોકપ્રિય પ્રતિભા ઈરાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો

અમેરિકન હુમલા વિરૂદ્ધ તહેરાનમાં શુક્રવારની નમાઝ પછી હજારો લોકો રસ્તા પર ઉતર્યા 

સુલેમાનીના મોત પછી બ્રિગેડિયર જન. ઇસ્માઈલ કાની કુર્દીશ ફોર્સના નવા કમાન્ડર નિયુક્ત

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 3 જાન્યુઆરી, 2020, શુક્રવાર

વિદેશમાં અમેરિકન કર્મચારીઓના રક્ષણ માટે અમેરિકાએ ઈરાકમાં ડ્રોન હુમલો કરી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના શક્તિશાળી કમાન્ડર જનરલ કાસીમ સુલેમાનીને મારી નાંખ્યા હતા તેમ પેન્ટાગોને શુક્રવારે જણાવ્યું હતું. અમેરિકાના આ પગલાંથી અખાતના ક્ષેત્રમાં ચાલી આવતી તંગદીલીમાં નાટયાત્મક રીતે વધારો થયો છે.

જનરલ સુલેમાની ઈરાનની અલ-કુદ્સ ફોર્સના પ્રમુખ હતા અને પ્રાદેશિક સલામતી હિથયારોના રચઈતા હતા. શુક્રવારે બગદાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાકના શક્તિશાળી હશદ અલ-શાબી આૃર્ધસૈનિક દળના નાયબ વડાનું પણ મોત નીપજ્યું હતું.

ઈરાને અમેરિકાને આ મોતનો બદલો લેવાની ધમકી આપી છે. અમેરિકન ડેમોક્રેટ્સે પણ ટ્રમ્પના આ પગલાંથી અમેરિકા અખાતમાં નવેસરથી જોખમી યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પેન્ટાગોને ઈરાકમાં સુલેમાની (62)ના મોતની પુષ્ટી કરી છે અને કહ્યું કે આ હુમલો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરાયો હતો.

જનરલ સુલેમાની ઈરાનમાં આયાતોલ્લાહ ખામૈની પછી બીજી સૌથી શક્તિશાળી મનાતા હતા અને તે ઈરાનમાં વીર રાષ્ટ્રીય વ્યક્તિત્વ ધરાવતા હતા. ઈરાકમાં કટ્ટર હશદ જૂથ પર અમેરિકાના હવાઈ હુમલા પછી ઈરાન સમર્થીત જૂથોએ બગદાદમાં અમેરિકન એમ્બસીને ઘેરી લીધી હતી અને તેમાં તોડફોડ કરી હતી.

ત્યાર પછી ટ્રમ્પે ઈરાનને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જનરલ સોલેમાની અને ઈરાનનું પીઠબળ ધરાવતા બળવાખોર જૂથના અધિકારીઓ બે કારમાં બગદાદ હવાઈ મથક પરથી રવાના થઈ રહ્યા હતા ત્યારે એક કાર્ગો વિસ્તારમાં અમેરિકાએ તેમના પર ડ્રોનથી હુમલો કર્યો હતો. 

સુલેમાનીના મોત પર પ્રતિક્રિયા આપતાં ઈરાને કહ્યું કે દેશ અને અખાતના સ્વતંત્ર રાષ્ટ્ર અમેરિકા પાસેથી આ મોતનો બદલો લેશે. ઈરાનમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઈ હતી. ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામૈનિએ કહ્યું કે, ‘આ હુમલા બદલ ગૂનેગારો સામે ભયાનક બદલો લેવામાં આવશે.’

તેમણે ઉમેર્યું કે સોલેમની કહેતાં કે દેશ માટે મરવું એ જનરલોની ખ્વાહીશ હોય છે. ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ પશ્ચિમ એશિયામાં ઈરાનના સાથી રાષ્ટ્રોને ટાંકીને કહ્યું, ‘ઈરાન અને આ ક્ષેત્રના અન્ય ત્રણ દેશ ગૂનેગાર અમેરિકા પાસેથી આ ક્રૂર ગૂનાનો બદલો લેશે તેમાં શંકાને કોઈ સૃથાન નથી. આક્રમણકારી અને ગૂનેગાર અમેરિકા દ્વારા સુલેમાનીની શહાદતથી ઈરાન સહિત ક્ષેત્રના બધા દેશોના હૃદયને ઠેસ પહોંચી છે.

તેમના મોતે ઈરાન અને અન્ય સ્વતંત્ર દેશોની અમેરિકાની દાદાગીરી વિરૂદ્ધ ઊભા થવા અને ઈસ્લામિક મૂલ્યોના રક્ષણના દૃઢસંકલ્પને બમણો કરી દીધો છે.’ અમેરિકન હુમલાના વિરોધમાં તહેરાનમાં અબાલ વૃદ્ધ સહિત હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુલેમાનીના વિશાળ કદના પોસ્ટર સાથે તેમણે અમેરિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ વિરોધ દેખાવોમાં જોડાયા હતા. હજારો લોકો સૂત્રો પોકારતા હતા કે, ‘દરેક દુર્વ્યવહારોની ધરી અમેરિકા છે અને ધર્મ તથા કુુરાનનો મુદ્રાલેખ અમેરિકાનું મોત છે.’ તહેરાન ઉપરાંત ઈરાનના અન્ય શહેરો અરાક, બોજનોર્ડ, હામેદન, હોર્મોઝગન, સનાન્દાજ, સેમનાન, શિરાઝ અને યઝ્દ તથા સુલેમાનીના વતન કેર્માનમાં પણ હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા.

બીજી બાજુ અમેરિકાના હુમલાથી મોદી સરકારની ચિંતામાં વધારો થયો છે. યુધ્ધ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવો વધે ને ભારતની આથક હાલત વધારે બગડે. વિશ્વમાં મંદી ઘેરી બને તેથી પણ મોદી સરકાર ચિંતિત છે. આ યુધ્ધની અસર આરબ દેશો પર પડે . આરબ દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીયો રહે છે તેથી તેમની સલામતી અને આથક હિતો બંને જોખમાય.

જો કે મોદી સરકાર આ સ્થિતી નિવારવા કશું કરી શકે તેમ નથી. અમેરિકા કે ઈરાન બંનેમાંથી કોઈ આપણી વાત સાંભળે તેમ નથી છતાં ભારતે સંયમ જાળવવાની અપીલ કરી છે.  ભારતના સંબંધો બંને દેશો સાથે સારા છે તેથી ભારત કોઈ એક દેશનો પક્ષ પણ લઈ શકે તેમ નથી.