કોરોના ઈફેક્ટ / લગ્નમાં 50 અને અંતિમવિધિમાં 20 લોકો જ હાજર રહી શકશે

કોરોના ઈફેક્ટ / લગ્નમાં 50 અને અંતિમવિધિમાં 20 લોકો જ હાજર રહી શકશે

નવી દિલ્હી. ગૃહ મંત્રાલયે ફરી એક વાર જણાવ્યું કે લગ્ન સમારંભમાં માત્ર 50 લોકો જ હાજર રહી શકે છે જ્યારે અંતિમવિધિમાં વધુમાં વધુ 20 લોકોને હાજર રહેવાની મંજૂરી છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું રહેશે. બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતી શ્રમિકો સહિતના લોકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા 60થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાઇ છે.

ગૃહ મંત્રાલયનાં સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે આ માહિતી આપતાં મંગળવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ ટ્રેનો દ્વારા અત્યાર સુધીમાં 70 હજાર લોકોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડાયા છે.