કોરોનાનો કહેર યથાવત, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર વધુ એક મહિનાનો લગાવ્યો પ્રતિબંધ
ભારતમાં કોરોનાના મહામારીનો ગ્રાફ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. કોરોનના વધતા કેસને પગલે ફરી એક વાર દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધોને લંબાવી દેવામાં આવ્યો છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી ફરી એક વાર 31 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવી દીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અગાઉ આ પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લંબાવ્યો હતો.
તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ
લોકડાઉનમાં ભારતમાં તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો હતો. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ થતાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન અભિયાન ચલાવ્યુ હતું. આ અભિયાન અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને તબક્કાવાર પાછા લાવવામાં આવ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 2800 ફ્લાઈટ અંતર્ગત ત્રણ લાખથી વધારે લોકોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.
વિદેશમાં ફસાયેલા લોકો માટે ફરી અભિયાનના પાંચમા તબક્કાની શરૂઆત કરશે
કોરોનાના પગલે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉપર 23 માર્ચથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. વિદેશમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે આ અભિયાન અંતર્ગત હવે ઓગસ્ટમાં પાંચમા તબક્કાની શરૂઆત કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર 23 માર્ચથી પ્રતિબંધ છે. દેશમાં 25 મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી હતી.