PM મોદીના હસ્તે કેવડિયાથી 31મીએ ક્રુઝ બોટ ફરતી મુકાવાની શક્યતા, જાણો પ્રવાસીઓ માટે શું હશે ક્રુઝ બોટમાં સુવિધા?

PM મોદીના હસ્તે કેવડિયાથી 31મીએ ક્રુઝ બોટ ફરતી મુકાવાની શક્યતા, જાણો પ્રવાસીઓ માટે શું હશે ક્રુઝ બોટમાં સુવિધા?

કોરોનાને કારણે ઓછા પ્રવાસીઓ રખાશે..

કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ૩૧મીના રોજ કેવડીયાથી સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધી નર્મદા નદીમાં ક્રૂઝ બોટ ફ્રતી મુકાય તેવી શક્યતા છે. ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કી.મી. સુધી ફેરવવાનુ અંદાજે રૃ. ૨૫૦ થી રૃ.૩૦૦ જેટલુ ભાડું નક્કી કરાશે. જેમાં મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રુઝ બોટ સેવા હવે આગામી ૩૧મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય એવી શક્યતાઓ છે. આ શક્યતાઓ વચ્ચે પુનઃ તૈયારી કરવામાં આવી રહી છે.

કોરોનાને કારણે ૫૦ જેટલા પ્રવાસીઓની જ સફર કરાવાય એવી તૈયારી કરવામાં આવી છે. બોટમાં રાત્રી દરમિયાન ટ્રેડિશનલ ડાન્સ સાથે ગીત સંગીત પણ હશે. જેથી બોટમાં બેઠેલા પ્રવાસીઓને આનંદ મળી રહે ! જેને ટૂંક સમયમાં ચાલુ કરવાનું તંત્ર કહી રહ્યુ છે. અગાઉ ૧૨મી માર્ચે નરેન્દ્ર મોદી કેવડિયા આવવાના હતા ત્યારે આ બોટ તેમના હસ્તે ખુલ્લી મુકાય એવી તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને લઈને કાર્યક્રમ મોકૂફ્ રહેતા પ્રવાસીઓને વધુ સમય રાહ જોવાનો વારો આવ્યો હતો. હવે આગામી ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્રુઝ બોટ સેવા ખુલ્લી મુકાવાની શક્યતા છે.

પ્રવાસીઓ માટે શું હશે ક્રુઝ બોટમાં સુવિધા ?

આ ક્રુઝ બોટમાં એક સાથે ૨૦૦ પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા છે પણ હાલમાં કોવિડ -૧૯ ને લઈને માત્ર ૫૦ પ્રવાસીઓ જ બેસી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન કરવામાં આવશે.

ક્રુઝ બોટ ૬ કી.મી.માં ફ્રરવવામાં આવશે.

ક્રુઝ બોટ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી લઈ જવાશે.

ક્રુઝ બોટમાં ટ્રેડિશનલ ડાન્સ સાથે ગીત સંગીત પણ રહેશે.

ક્રુઝ બોટનું ભાડું રૃ. ૨૫૦ થી ૩૦૦ રૃપિયા રાખવામાં આવશે.

ક્રુઝ બોટમાં જમવાનું અને નાસ્તાની સુવિધા પણ રહેશે.