નીતિ આયોગની ચેતવણી: સપ્ટેમ્બરમાં દરરોજ આવી શકે છે 4 લાખ કોરોના કેસ, 2 લાખ ICU બેડ રાખ્યા તૈયાર

નીતિ આયોગની ચેતવણી: સપ્ટેમ્બરમાં દરરોજ આવી શકે છે 4 લાખ કોરોના કેસ, 2 લાખ ICU બેડ રાખ્યા તૈયાર

નવી દિલ્હી, તા. 23 ઓગસ્ટ 2021 સોમવાર

ભારતમાં કોવિડ મહામારીનું વિકરાળ રૂપ એકવાર ફરી જોવા મળી શકે છે. નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જારી કરી છે. આયોગે આશંકા વર્તાઈ છે કે સપ્ટેમ્બરમાં 4થી 5 લાખ કોરોના કેસ દરરોજ આવી શકે છે. દરેક 100 કોરોના કેસમાંથી 23 કેસને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડી શકે છે. એવામાં પહેલાથી જ બે લાખ આઈસીયુ બેડ્સ તૈયાર રાખવાની જરૂર છે. 

નીતિ આયોગે કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં કોવિડ બેડ અલગ રાખવાની ભલામણ કરી છે. આયોગનુ કહેવુ છે કે ખરાબ પરિસ્થિતિમાંથી ઉકેલ મેળવવા માટે પહેલેથી તૈયાર રહેવુ પડશે. સપ્ટેમ્બર સુધી બે લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા જોઈએ. આ સિવાય 1.2 લાખ વેન્ટિલેટર વાળા આઈસીયુ બેડ, 7 લાખ ઓક્સિજન વાળા બેડ અને 10 લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ હોવા જોઈએ. 

નીતિ આયોગે અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ કોરોનાની બીજી લહેરનુ અનુમાન લગાવ્યુ હતુ. નીતિ આયોગે 100 સંક્રમિતોમાંથી ગંભીર કોવિડ લક્ષણ વાળા લગભગ 20 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી પરંતુ આ વખતે અનુમાન ગઈ વખતથી વધારે છે.

ભારતમાં કોરોના સંકટની વર્તમાન સ્થિતિ

ભારતમાં સતત 56 દિવસથી 50,000 થી ઓછા દૈનિક કેસ સામે આવી રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર કોરોનાના કુલ 30,948 નવા કેસ સામે આવ્યા અને 403 મોત નીપજ્યા. કોવિડના કારણે મૃતકોની કુલ સંખ્યા 4 લાખ 34 હજાર 367 થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ સંક્રમણથી સાજા થવાનો દર વધીને 97.57 ટકા થઈ ગયો છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, સક્રિય કેસ કુલ કેસના 1.09 ટકા છે, જે માર્ચ 2020 બાદ સૌથી ઓછા છે. ભારતમાં અત્યાર સુધી સાજા થનારની કુલ સંખ્યા 3,16,36,469 થઈ ગઈ છે. છેલ્લા 58 દિવસથી સાપ્તાહિક સકારાત્મકતા દર 3 ટકાથી નીચે થઈ ગયો છે અને વર્તમાનમાં 2.0 ટકા છે.