આ એક કારણે કૃષ્ણએ નક્કી કર્યું કે, આ ભૂમિ પર ભાઈ-ભાઈ અને ગુરૂ-શિષ્યની હત્યા કરશે

આ એક કારણે કૃષ્ણએ નક્કી કર્યું કે, આ ભૂમિ પર ભાઈ-ભાઈ અને ગુરૂ-શિષ્યની હત્યા કરશે

એ વાત તો જરૂર તમને ખબર હશે કે મહાભારતના યુદ્ધ દરમિયાન જ શ્રીકૃષ્ણએ જ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ આજે પણ મહાભારતના યુદ્ધથી જોડાયેલા અનેક રહસ્યો છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. શું તમે ક્યારેય એ વાત વિચારી છે કે મહાભારતનું યુદ્ધ આખરે કુરુક્ષેત્રમાં જ કેમ થયું હતુ અને બીજી કોઈ જગ્યાએ કેમ નહીં?

મહાભારતનું યુદ્ધ સંસારનું સૌથી ભીષણ યુદ્ધ હતુ. કૌરવો અને પાંડવોની વચ્ચે થયેલા આ યુદ્ધમાં બંને તરફ કરોડો યોદ્ધાઓ માર્યા ગયા હતા. મહાભારતના યુદ્ધથી પહેલા ના આવું ક્યારેય યુદ્ધ થયું હતુ અને ના થશે. કુરુક્ષેત્રની ધરતીને મહાભારતના યુદ્ધ માટે ભગવાન શ્રીકૃષ્ણએ જ પસંદ કરી હતી, પરંતુ તેમણે કુરુક્ષેત્રને જ યુદ્ધ માટે કેમ પસંદ કર્યું તેની પાછળ એક ઊંડુ રહસ્ય છે. શાસ્ત્રો પ્રમાણે મહાભારતનું યુદ્ધ જ્યારે નક્કી થઈ ગયું તો તેના માટે જમીન શોધવામાં આવવા લાગી. ભગવાન શ્રીકૃષ્ણ આ યુદ્ધ દ્વારા ધરતી પર વધતા પાપને દૂર કરવા ઇચ્છતા હતા અને ધર્મની સ્થાપના કરવા ઇચ્છતા હતા.

પોતાના દૂતો તમામ દિશાઓમાં મોકલ્યા

માન્યતાઓ પ્રમાણે મહાભારતના યુદ્ધથી પહેલા શ્રીકૃષ્ણને એ વાતનો ડર તો કે ભાઈ-ભાઈ, ગુરૂ-શિષ્યોના અને સગા-સંબંધીઓને યુદ્ધમાં મરતા જોઇને ક્યાંક કૌરવ અને પાંડવો પરસ્પર સંધિ ના કરી લે. આ કારણે તેમણે એવી ભૂમિ પસંદ કરી જ્યાં ક્રોધ અને દ્વેષ પર્યાપ્ત માત્રામાં હોય. શ્રીકૃષ્ણએ આ કામ માટે પોતાના દૂતો તમામ દિશાઓમાં મોકલ્યા અને તેમને ત્યાંની ઘટનાઓ વિશે માહિતી લેવા કહ્યું. દૂતોએ તમામ ઘટનાઓ વિશે માહિતી લીધી અને એક-એક કરીને ભગવાન શ્રીકૃષ્ણને આ વિશે જણાવ્યું.

ભાઈએ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

તેમાંથી એક દૂતે એક ઘટના વિશે જણાવ્યું કે કુરુક્ષેત્રમાં એક મોટા ભાઈએ પોતાના નાના ભાઈને ખેતરનો સેઢોં તૂટવાના કારણે વરસાદના પાણીને રોકવા કહ્યું, પરંતુ તેણે આવું કરવાથી સ્પષ્ટ ના કહી દીધું. આના પર મોટાભાઈએ ગુસ્સામાં નાના ભાઈને છરીથી મારી નાંખ્યો અને પછી તેની જ લાશથી પાણી રોક્યું. શ્રીકૃષ્ણએ જ્યારે આ સાચી ઘટના વિશે સાંભળ્યું તો તેમણે નક્કી કર્યું કે, આ ભૂમિ ભાઈ-ભાઈ, ગુરૂ-શિષ્ય અને સગા-સંબંધીઓના યુદ્ધ માટે બિલકુલ પર્યાપ્ત છે. કુરૂક્ષેત્રની ધરતીને લઇને ભગવાન શ્રીકૃષ્ણ બિલકુલ નિશ્ચિંત થઈ ગયા કે અહીં ભાઈઓ-ભાઈઓનાં યુદ્ધમાં એક-બીજા પ્રત્યે પ્રેમ નહીં ઉદ્ભવે. ત્યારબાદ તેમણે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં કરાવવાની જાહેરાત કરી. ( Source – Sandesh )