આંખ ઉઘાડનારો કિસ્સો, ‘તાંત્રિક વિધિ બાદ ગિરનારની ગુફામાં જવાનું ત્યાં 10 કરોડનો વરસાદ થશે’

આંખ ઉઘાડનારો કિસ્સો, ‘તાંત્રિક વિધિ બાદ ગિરનારની ગુફામાં જવાનું ત્યાં 10 કરોડનો વરસાદ થશે’

મિત્ર બનાવીને જાળમાં ફ્સાવનાર ૩ શખ્સોની પોલીસે કરી ધરપકડ

જૂનાગઢ,વિસાવદરઃ અમદાવાદ, જામનગર અને અમરેલીના ત્રણ શખ્સોએ વિસાવદરના એક હોટેલના માલિકને તેના પર થયેલ દોઢ કરોડનું કર્જ ઉતારવા માટે તાંત્રિક વિધિ કરવાના બદલામાં ૧૫ લાખ માંગી છેતરપીંડી કર્યાનું સામે આવ્યું છે. તાંત્રિક વિધિ બાદ ગિરનારની એક ગુફમાં ૧૦ કરોડનો વરસાદ થશે તેવી લાલચ આપીને દોઢ લાખ પડાવી લીધાનું સામે આવતા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરીને વધુ પૂછતાછ હાથ ધરી છે.

વિસાવદરમાં આનંદપાર્ક સોસાયટીમાં રહેતા અને મિલન હોટેલ રેસ્ટોરન્ટ ધરાવતા ધવલભાઈ મનસુખભાઈ રીબડીયા પર દોઢેક કરોડનું દેણું થઈ જતા તે ટેન્શનમાં હતા, ત્યારે તેની હોટેલે એકવાર આવેલા અમદાવાદના દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા નામના શખ્સ સાથે મિત્રતા બંધાઈ હતી, દેવરાજે ધવલને દોઢ કરોડનું કર્જ ઉતારવા માટે તાંત્રિક વિધિ કરવા માટે મોબાઈલમાં અનેક વિડીયો અને ઓડિયો રેકોર્ડીંગ સંભળાવી જાળમાં ફ્સાવ્યો હતો.

અને જણાવ્યું કે, તે ગિરનારની એક ગુફમાં રહેતા મહાત્માને ઓળખે છે તેઓ તાંત્રિક વિધિ બાદ તેની ગુફમાં ૮ થી ૧૦ કરોડનો વરસાદ કરશે. તેના માટે ૧૫ લાખનો ખર્ચ થશે તેમ કહેતા ધવલે વિશ્વાસમાં આવીને હા પાડી હતી. બાદમાં દેવરાજે તેના બે મિત્રો પ્રહલાદસિંહ કાયમસિંહ પરમાર (રહે.અમરેલી,મારુતિનગર, સહજાનંદ નગરની સામે) અને હિરેન ઉર્ફે કાકા મનુભાઈ ચંદરેશા (રહે. વસંતવાટિકા, શેરી-૮, રણજીતનગર, જામનગર) સાથે મળીને ધવલના ઘરે આવ્યા હતા.

ત્યાં ઘરે ત્રણ દિવસ રોકાઈને તાંત્રિક હવન કર્યો હતો, ધવલે ૧૫ લાખ પૈકીના દોઢ લાખ રૂપિયા એડવાન્સ આપી દીધા હતા, બાદમાં હવન પૂરો થતા બાકીની રકમની વ્યવસ્થા ન થતા તે મુંજાયા હતા, આ વાત ધીમેધીમે પોલીસ સુધી પહોચતા વિસાવદર પીઆઈ એન.આર.પટેલએ ત્રણેયની અટક કરીને પૂછતાછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેને લઈને ત્રણેયની ધરપકડ કરીને તેમના સામે છેતરપીંડીની કલમનો ઉમેરો કરીને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તેની ૩ લાખની કીમતની ફેર્ચ્યુનર કાર કબજે કરી છે.

દેવરાજનું મૂળ નામ જયેશ ભાયાણી છે

જૂનાગઢઃ પકડાયેલ દેવરાજ જાડેજાનું મૂળ નામ જયેશ કાંતિલાલ ભાયાણી અને તે મૂળ જેતપુરના દેરડી ગામનો છે, હાલ તે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં અક્ષર હાઈટ્સની સામે આવેલ સદગુરુ વાટિકાના ૩ નંબરના બંગલામાં રહે છે, અને લે-વેચનો ધંધો કરે છે. લોકડાઉન પહેલા અમરેલીના અજીતસિંહ જાડેજાએ તેને દતક લીધો હતો, જે અંગે તેણે એફ્ડિેવિટ કરીને પોતાનું નામ જયેશમાંથી દેવરાજ જાડેજા કર્યું હતું.

( Source – Sandesh )