ભારતમાં 2019-2020 વચ્ચે 12 લાખ લોકો સાપ કરડવાથી મૃત્ય પામ્યા

ભારતમાં 2019-2020 વચ્ચે 12 લાખ લોકો સાપ કરડવાથી મૃત્ય પામ્યા

મોટા ભાગના ગામડાઓમાં કેસ બને છે

70 વર્ષની વય પહેંલા 250માંથી એક વ્યક્તિ સ્નેકબાઇટથી ગુજરી જાય છે

ટોરોન્ટો,તા. 8 જુલાઈ 2020, બુધવાર

ભારતમાં સાપના કરડવાથી ૨૦૧૯ અને ૨૦૨૦ વચ્ચે આશરે ૧૨ લાખ લોકોના મૃત્ય થયા હતા, જો કે આ પૈકી અનેક લોકો એ સાવચેતીના પગલાં ભર્યા હોત તો બચી જાત, એમ એક સંશોધનમાં કહેવામાં આવ્યું હતું. ઇલાઇફ નામના એક સામયીકમાં પ્રકાશિત લેખમાં  ભારતમાં ૨૦૧૯થી ૨૦૨૦ની વચ્ચે સ્નેકબાઇટનો અહેવાલ રજૂ કરાયો હતો. આસંશોધન ટોરોન્ટોસ્થિત સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ રિસર્ચ (સીજીએચઆર) અને ભારતના રજીસ્ટ્રાર જનરલ દ્વારા હાથ ઘરાયું હતું. આ આંકડા ઇન્ડિયન મિલિયન ડેથમાંથી લેવામાં આવ્યા હતા. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ના અંદાજ અનુસાર, દર વર્ષે આખા વિશ્વમાં ૮૧ હજારથી ૧૩૮૦૦૦ લોકો સાપના કરડવાની ગુજરી જાય છે. આમાંથી લગભગ અર્ધા ભાગના તો ભારતમાં ગુજરી ગયેલા.

જો કે આમાથી ત્રણ ગણા લોકો બચી જતા હતા, પરંતુ તેમના હાથ અથવા તો પગને કાપવાની ફરજ પડતી હતી અથવા તો તેઓ આજીવન અપંગ બની જતા હતા. સંશોધનના મુખ્ય લેખક ડો. પ્રભાત ઝા એ કહ્યું હતું કે  મૃત્ય ટાળવાના પુરાવા પણ મળ્યા હતા.’ચોમાસામાં દરમિયાન સાવચેતીના પગલાં ભરતા મૃત્ય દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. કેટલાક પગલાં સાવ સરળ હતા’. મોટા ભાગના કેસ ગ્રામીણ વિસ્તારોમાંથી મળતા હોવાના કારણે મૃત્યની સંખ્યા પણ ત્યાં જ વધારે રહેતી હતી.

સાપ કરડવાથી બચવા માટે રબર બુટ, રિચોર્જેબલ ટોર્ચ અને ઝેર વિરોધી રસીની ઉપલબ્ધતા જરૃરી હોય છે. ખેતરમાંથી પાક લેવાની સીઝનમાં ખેડૂતો અને ખેત મજુરોને  સાપ કરડવાથી કેવી રીતે બચાય તેની તાલીમ આપવાની જરૃર છે, એમ અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું. ભારતમાં મોટા ભાગે આઘ્ર પ્રદેશ, બિહાર,ઓડિશા,મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ,રાજસ્થાન, ગુજરાત અને ધારખંડમાં સાપ કરડવાના કેસ વધુ બને છે. ‘૭૦ વર્ષની વય પહેંલા ભારતીયના મોતનું પ્રમાણ ૨૫૦ માંથી એકનું હોય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વધુ પણ હોય છે, એમ સંશોધનમાં કહેવામાં આવ્યું હતું.

 આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક વૈધ અને આયુર્વેદની પ્રેકટીસ કરનારને આવા તમામ કેસ મોટી હોસ્પિટલોમાં મોકલવા સમજવવા પડશે. ઉપરાંત ઝેર વિરોધી રસ પણ ઉપલબ્ધ કરાવવી પડશે. ઉપરાંત લોકોમાં એન્ટીવેનોમ ડોઝ અંગે જાગૃત્તિ લાવવાના પણ પ્રયાસ કરવા પડશે, એમ સંશોધનમાં ભલામણ કરવામાં આવી હતી. અભ્યાસના મુખ્ય સંશોધક અને સંસ્થામાં વરિષ્ઠ બાયો-સ્ટેટિશિયન વિલ્સન સુરાવીરાએ લખ્યું હતું ‘અચાનક થતી મોત, મૃત્યની પેટર્ન,સાપ કરડવાના પ્રકાર અને કેસ દર કેસને સમજવાની જરૃર છે અને ભારતમાં સાપ કરડવાની એપીડોમોલોજીને વધારે સારી રીતે સમજવી પડશે. ૨૦ વર્ષના આંકડાઓના અભ્યાસ પરથી સાબીત થયું કે દરેક ક્ષેત્રમાં સ્નેકબાઇટ અંગે લોકોને જાગૃત કરવા પડશે’.