કોરોના વાઇરસ / ઊંઝા ઉમિયા માતાના મંદિરે કોરોનામાં લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી

કોરોના વાઇરસ / ઊંઝા ઉમિયા માતાના મંદિરે કોરોનામાં લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી

મહેસાણા. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા કરાયેલી અપીલને પગલે આજે મા ઉમિયાના ભકતોએ ઘરમંદિરમાં દીપ પ્રગટાવ્યા હતા. ઊંઝા નીજ મંદિરમાં પણ દીપ પ્રગટાવી માનવજાત સામે આવી પડેલ કોરોનાના વૈશ્વિક સંકટ સામે ઝઝુમવા શકિત અને બળ પૂરું પાડે તેવી પ્રાર્થના કરાઇ હતી.