ભાજપની જીતની ખુશી, આ ગુજરાતી અમરેલીથી 1100 કિમી સાયકલ ચલાવી પહોંચ્યા દિલ્હી

ભાજપની જીતની ખુશી, આ ગુજરાતી અમરેલીથી 1100 કિમી સાયકલ ચલાવી પહોંચ્યા દિલ્હી

લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીને પ્રચંડ બહુમત મળ્યું હતું. અને ભાજપને 300+ સીટો મળી હતી. ભાજપના આ ભવ્ય વિજયની ખુશી તો ભાજપના સૌ કોઈ કાર્યકરોને છે. પણ અમરેલીમાં એક વ્યક્તિ એવી પણ છે, કે જેણે આ ભવ્ય જીતની અનોખી ઉજવણી કરી હતી. અમરેલીના ભીખુભાઈ 100 કિમી સાયકલ ચલાવીને દિલ્હી પહોંચ્યા હતા. અને વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા.

અમરેલીના ખિમચંદભાઈએ નિશ્ચય કર્યો હતો કે, જો ભાજપને લોકસભા ચૂંટણીમાં 300+ સીટો મળશે તો, તે સાયકલ ચલાવીને અમરેલીથી દિલ્હી પહોંચશે. અને ચૂંટણીના પરિણામમાં ભાજપે ભવ્ય જીત સાથે 303+ સીટો પર વિજય મેળવ્યો હતો. જે બાદ તેઓ પોતાની વાત પર અડગ રહેતાં સાયકલ લઈને અમરેલીથી દિલ્હી જવા માટે નીકળી ગયા હતા.

ખિમચંદભાઈની આ ખુમારી પર વડા પ્રધાન મોદી પણ ઓવારી ગયા હતા. અને અમરેલીથી દિલ્હી આવેલાં ખિમચંદભાઈ સાથે ખાસ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો. અને તેમના જુસ્સાથી પીએમ મોદી ખાસ્સા પ્રભાવિત થયા હતા.