હૉસ્પિટલ કર્મચારીનો ખુલાસો – સુશાંતે નહોતી કરી આત્મહત્યા, પગની નીચે હતા અજીબ નિશાન

હૉસ્પિટલ કર્મચારીનો ખુલાસો – સુશાંતે નહોતી કરી આત્મહત્યા, પગની નીચે હતા અજીબ નિશાન

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ એક પછી એક સનસનાટીપૂર્ણ ખુલાસાઓ થઈ રહ્યા છે. સીબીઆઈની ત્રણ ટીમો અત્યારે અલગ-અલગ પૂછપરછ કરી રહી છે. પહેલી ટીમ નીરજ, સિદ્ધાર્થ પિઠાણી, સેમ્યુઅલ મિરાંડા સાથે પૂછપરછ કરી રહી છે, જ્યારે બીજી ટીમ રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરી રહી છે. ત્રીજી ટીમ રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે પૂછપરછ કરી રહી છે. સમાચાર છે કે બાદમાં અનેક લોકોને એક સાથે બેસાડીને પૂછપરછ થઈ શકે છે.

બંને પગની નીચે હતા સોઇના નિશાન

તો આ દરમિયાન એક જાણીતી ન્યૂઝ ચેનલમાં હૉસ્પિટલના કર્મચારીઓ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કૂપર હૉસ્પિટલના એક કર્મચારીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, તેની હત્યા કરવામા આવી છે. આ કર્મચારીએ કહ્યું કે, બૉડી પીળી પડી ગઈ હતી અને તેના બંને પગની નીચે એવા નિશાન હતા કે જાણે સોઈ જેવું કંઇક માર્યું હોય. બંને પગ પર આવા ત્રણ-ચાર નિશાન હતા. જોકે તેના પગમાંથી ખૂન નહોતી નીકળી રહ્યું, પરંતુ લોહી ભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતુ.

ડેડબૉડી પીળી પડી ગઈ હતી

હૉસ્પિટલના કર્મચારીએ ધ્રુજાવી દે તેવો ખુલાસો કરતા કહ્યું છે કે, સુશાંત સિંહની ડેડબૉડીને જોઇને લાગતુ હતુ કે તેણે આત્મહત્યા નથી કરી. અમને બૉડી જોઇને ખબર પડી જાય કે મર્ડર છે કે આત્મહત્યા. મોટા મોટા ડૉક્ટરોનું પણ કહેવું છે કે આ આત્મહત્યા નથી, પરંતુ મર્ડર છે, કારણ કે સુશાંતના ગળમાં અજીબ નિશાન જોવા મળી રહ્યા હતા. તેના પગ પર પણ નિશાન હતા અને ગળે ફાંસી ખાવાથી બૉડી પીળી ના પડે, પરંતુ આ કેસમાં સુશાંતની બૉડી પીળી પડી ગઈ હતી. હૉસ્પિટલ કર્મચારીના જાણીતી ન્યૂઝ ચેનલ પરના આ ખુલાસાથી સુશાંત સિંહ રાજપૂત કેસમાં વધુ એક વળાંક લાવ્યો છે.

સુશાંતને ડ્રગ્સ આપવામાં આવી રહ્યું હતુ

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે. સુશાંતના પિતા અને પરિવારે રિયા પર સુશાંતને મારવાનો આરોપ લગાવ્યો છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતને ડ્રગ્સ આપવામાં આવી રહ્યું હતુ. રિયા પર સુશાંતના પૈસા હડપવાનો અને દુબઈના ડ્રગ્સ ડીલરો સાથે તેના સંબંધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

( Source – Sandesh )