હવે ગ્રાહકો બનશે રાજા, ગ્રાહકોના હિતમાં મોદી સરકાર લાવી રહી છે નવા કાયદા અને નિયમ

હવે ગ્રાહકો બનશે રાજા, ગ્રાહકોના હિતમાં મોદી સરકાર લાવી રહી છે નવા કાયદા અને નિયમ

મોદી સરકાર લોકોના હિતમાં દિવસે દિવસે વિવિધ કાયદા અને નિયમો લાવી રહી છે. ત્યારે ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે હવે સરકારે પોતાની કમર કસી લીધી છે. વારંવાર ગ્રાહકો સાથે અલગ અલગ રીતે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. ત્યારે તેના પર નેિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગૂ કરવાની છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019નો કાયદો 20 જુલાઇથી લાગૂ કરી રહી છે. નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નું નવું રૂપ હશે. 

આગામી 20 જુલાઇના રોજ નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 લાગૂ કરવામાં આવી રહ્યો છે. આ નવા કાયદાને લાગૂ કરતા ઘણા નવા નિયમ લાગૂ થઇ જશે. જે નિયમો જૂના કાયદામાં સામેલ ન હતા. 

નવા કાયદામાં આપવામાં આવેલી વિશેષતાઓ આ પ્રમાણે છે.

1.નવા કાયદામાં ગ્રાહકોને ભ્રામક જાહેરાત કરવામાં આવતાં કાર્યવાહી કરવામાં આવશે.

2.ગ્રાહકો દેશના કોઇપણ કંઝ્યૂમર કોર્ટમાં કેસ દાખલ કરી શકશે. 

3.નવા કાયદામાં ઓનલાઈન અને ટેલિશોપીંગ કંપનીઓને પહેલીવાર સામેલ કરવામાં આવશે.

4.ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ હશે તો કંપનીઓ પર દંડ અને જેલની જોગવાઇ.

5.કંઝ્યૂમર મીડિએશન સેલની રચના. બંને પક્ષ પરસ્પર સહમતિથી મીડિએશન સેલ જઇ શકશે.

6. પીઆઈએલ અથવા જનહિત અરજી હવે કંઝ્યૂમર ફોરમમાં ફાઇલ કરી શકાશે. જે જુના કાયદામાં સામેલ ન હતું.

7.કંઝ્યૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ થઇ શકશે. 

8.State Consumer Dispute Redressal Commissionમાં એક કરોડથી દસ કરોડ રૂપિયા સુધી કેસોની સુનાવણી થશે.

9.national Consumer Dispute Redressal Commissionમાં દસ કરોડથી ઉપરના કેસોની સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે ગ્રાહક સુરક્ષા કાનૂન 2019 ઘણા સમય પહેલાં તૈયાર થઇ ચૂક્યો છે. જોકે આ કાનૂનને થોડા મહિના પહેલાં લાગૂ કરવાનો હતો, પરંતુ કોરોના વાયરસની મહામારીના પગલે ટાળી દેવામાં આવ્યો હતો. આગામી સપ્તાહથી આ નવા કાયદાને લાગૂ કરી દેવામાં આવશે.