બેદરકારી / લકવાના દર્દીને ભૂલથી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયો

બેદરકારી / લકવાના દર્દીને ભૂલથી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયો

સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી

અમદાવાદ. લકવાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ગયેલો દર્દી દાણીલીમડાનો હોવાથી તંત્રે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી દીધો હતો. ત્યારબાદ 3 દિવસથી દર્દીનાં સગાને પત્તો મળતો ન હતો. અંતે સોમવારે બપોરે દર્દીનાં સગાએ હોસ્પિટલ સુપરિટન્ડેન્ટની ઓફિસે જઇને હોબાળો કર્યા બાદ દર્દી હોસ્પિટલનાં બીજા માળેથી મળી આવ્યો હતો.
દાણીલીમડાના પચાણ સોમેશ્વરાનાં ભાઇએ જણાવ્યું હતું કે, મારા ભાઇને 16 મેનાં સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, સિવિલ હોસ્પિટલ દ્વારા અમે દાણીલીમડાથી આવેલાં હોવાથી મારા ભાઇને સીધા કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા.