બીગ બીએ કર્યો ખુલાસો, કહ્યું – આ માણસે હું કોરોનાથી મરી જાઉં એવી પ્રાર્થના કરી…

બીગ બીએ કર્યો ખુલાસો, કહ્યું – આ માણસે હું કોરોનાથી મરી જાઉં એવી પ્રાર્થના કરી…

અમિતાભ બચ્ચનને 11 જૂલાઈએ કોરોના પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા છે. હાલમાં તેની તબિયત સારી હોવાના અહેવાલ આવ્યા હતા. ત્યારે હવે બીગ બીએ એક બ્લોગ લખ્યો છે અને એમાં ઘણી નવી નવી અજીબ વાતો લખી છે. એક માણસે એવી પણ કામના કરી હતી કે, અમિતાભ બચ્ચન કોરોનાના કારણે મરી જાય. તેને પણ બીગ બીએ સરસ રીતે જવાબ આપ્યો છે.

બીગ બીએ પોતાના બ્લોગમાં એશ્વર્યા અને આરાધ્યાના સાજા થવાની વાત લખી છે. તો વળી એક ટ્રોલરને જવાબ આપવા માટે લખ્યું કે, તે મને બતાવવા માટે લખે છે કે, હું આશા રાખું છું કે કોરોનાના કારણે અમિતાભ બચ્ચન મરી જાઉં. હે મિસ્ટર ગુમનામ.. તે તારા પિતાનું નામ પણ નથી લખ્યું. કારણ કે તને ખબર જ નથી કે તારા પિતા કોણ છે. માત્ર બે વસ્તુ થઈ શકે છે. કાં તો હું મરી જઈશ અને કાં તો હું જીવતો રહીશ. જો હું મરી જઈશ તો તું એક સેલેબ્રિટીના નામ પર પોતાના રિમાર્ક ખરાબ કરીને આગળથી આવી બકવાસ વાતો નહીં લખી શકે. દયા આવે છે. તારી આ કોમેન્ટને માત્ર એટલા માટે નોટિસ કરવામાં આવી, કારણ કે તે અમિતાભ બચ્ચન વિશે ખરાબ લખ્યું છે, જે લાબા સમય સુધી નહીં રહે.

અમિતાભ બચ્ચને આગળ લખ્યું કે, જો ભગવાનની કૃપાથી હું બચી ગયો તો આવી બકવાસ વાતો ન માત્ર મારે, પણ 90 મિલિયન ફેન્સએ સહન કરવી પડશે. બીગ બીએ લખ્યું કે, હજું મે એને કંઈ કહ્યું નથી, પણ જો હું બચી ગયો… અને હું જણાની દઉં કે તે ગુસ્સાવાળા છે. પુરી દુનિયા પાર કરી જશે. પશ્વિમથી પુર્વ, ઉત્તરથી દક્ષિણ સુધી… છેલ્લે બીગ બીએ લખ્યું કે, હું એને કહી દઈશ કે સાલાને ઠોકી દો. ( Source – Sandesh )