ફોન કરવા જઇ રહ્યા છો તો કૃપ્યા ધ્યાન દો, આજથી આવી રહ્યો છે નવો નિયમ

ફોન કરવા જઇ રહ્યા છો તો કૃપ્યા ધ્યાન દો, આજથી આવી રહ્યો છે નવો નિયમ

આજથી દેશમાં કોઈપણ લેન્ડલાઇન ફોન (Landline Phone)થી મોબાઇલ નંબર (Mobile Number) પર ફોન કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. નવા નિયમો અનુસાર હવે લેન્ડલાઇન ફોન પરથી મોબાઇલ નંબર પર વાત કરવા માટે ઝીરો (Zero) લગાવવો પડશે. આથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને વધુ સંખ્યા બનાવવાની મંજૂરી મળશે.

આ અંગે ટેલિકોમ વિભાગે 20 નવેમ્બરના રોજ એક પરિપત્ર પણ જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે લેન્ડલાઇનથી મોબાઇલમાં ડાયલ કરવાની રીત બદલવાની ટ્રાઇ (TRAI) ની ભલામણો સ્વીકારવામાં આવી છે. આ સુવિધા અત્યારે તમારા વિસ્તારની બહાર કોલ્સ કરવા માટે ઉપલબ્ધ છે.

ઝીરોથી તૈયાર થશે 254.4 કરોડ નંબર

ડાયલ કરવાની રીતમાં આ પરિવર્તનથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળશે. આ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. તેનાથી આગળ ચાલીને નવા નંબર પણ કંપનીઓ રજૂ કરી શકશે.

મોબાઈલ નંબર 11 અંકોનો થઇ શકે છે

ભવિષ્યમાં ટેલિકોમ કંપનીઓ 11 અંકોના મોબાઇલ નંબર પણ રજૂ કરી શકે છે. હાલમાં દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેના કારણે 10-અંકનો મોબાઇલ નંબર પણ ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં શૂન્યનો ઉપયોગ આગળનો રસ્તો ઘણો સરળ બનાવશે.

ટેલિકોમ કંપનીઓએ પણ યાદ અપાવ્યું

આ સંદર્ભે ટેલિકોમ કંપનીઓએ ગુરુવારે ગ્રાહકોને યાદ અપાવ્યું હતું કે શુક્રવાર 15 જાન્યુઆરીથી લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરતી વખતે તેમને પ્રથમ શૂન્ય ડાયલ કરવો પડશે. એરટેલે તેના ફિક્સ લાઇન યુઝર્સને જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી, 2021થી અમલમાં આવી રહેલા ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના નિર્દેશ હેઠળ તમારે તમારા લેન્ડલાઇનથી મોબાઇલ પર ફોન કનેક્ટ કરતી વખતે તમારે પહેલાં શૂન્ય ડાયલ કરવું પડશે.”

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે.પુરવર એ આ અંગે જણાવ્યું હતું કે ગ્રાહકોને આને લઇ જાગૃતિ કરવાનું શરૂ કરી દીધું છે.

( Source – Sandesh )