જો વ્યક્તિ ફ્લાઇટમાં જ મૃત્યુ પામે તો તેની જોડે શુ કરવામાં આવે છે? જાણો અનેક રહસ્યો

જો વ્યક્તિ ફ્લાઇટમાં જ મૃત્યુ પામે તો તેની જોડે શુ કરવામાં આવે છે? જાણો અનેક રહસ્યો

ફરવું તો ઘણા લોકોને પસંદ હોય છે એવામાં જો તમે ફ્લાઇટથી જાઓ છો તો તમારે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. ફ્લાઇટમાં યાત્રા કરવી એક સુખદ અનુભવની સાથે શાંતિનો સફર હોય છે. કારણકે ફ્લાઇટમાં તમને અનેક સુવિધાઓ જો આપવામાં આવે છે. પરંતુ અમૂક વાતો એવી હોય છે કે જે તમને ખબર હોતી નથી. તો આવો જોઇએ ફ્લાઇટમાં જતા પહેલા શુ વાતનું ધ્યાન રાખવું જોઇએ.

મૃત્યુ પહેલા નથી આપવામાં આવતી જાણકારી

ફ્લાઇટમાં સફર દરમિયાન વચ્ચે જો કોઇ યાત્રીની તબિયત ખરાબ થઇ જાય છે તો તે ફ્લાઇટના અટેંડેંટ તેની પ્રાથમિક સારવાર કરે છે. જરૂરત પડવા પર સ્પેશ્યાલિસ્ટથી સંપર્ક પણ કરે છે અને કહ્યા પ્રમાણે દવાઓ પણ આપવામાં આવે છે. જો કોઇ કારણસર યાત્રીનું મોત થાય છે તો અન્ય યાત્રીઓને તેની સૂચના આપવામાં આવતી નથી. ડેડબોડી જ્યાં છે ત્યાં રહે છે તેને બસ એક ચાદરથી ઢાંકી દેવામાં આવે છે.

સામાનની સાથે આવે છે મૃતદેહ

ફ્લાઇટમાં સફર દરમિયાન તમારો સામાન તમારી પાસે નથી રહેતો પરંતુ તેને કાર્ગોમાં રાખવામાં આવે છે. કાર્ગોમાં અન્ય ઘણા સામાન પણ મોકલવામાં આવે છે. સંભવ છે કે જે જગ્યા તમે સામાન રાખ્યો છે ત્યાં મૃતદેહ પણ રાખ્યો હોય. મૃતદેહને હંમેશા એચઆરથી અંકિત કરવામાં આવે છે, જેનો મતલબ હ્યૂમન રીમેંસ થાય છે.

ગંદકીનું ધ્યાન

એક પ્લેનમાં આખા દિવસમાં અનેક જગ્યાએ ઉડે છે. એવામાં જ્યારે પણ યાત્રા પૂરી થાય છે તો આખા પ્લેનની સફાઇ કરવામાં આવે છે. પરંતુ જરૂરી નથી કે પ્લેનની સાથે ટેબલોને પણ સાફ કરવામાં આવે અંહી સાફ કરવાથી મતલબ ડિસઇંફેક્ટેડ કરવાથી છે. કેટલીક વખત એખ જ કપડાથી દરેક ટેબલોને સાફ કરવામાં આવે છે. જેનાથી એક ટેબલની ગંદરી બીજા ટેબલ થઇ જાય છે.

ચાદર અને ટ્રે ફ્રેશન હોતા નથી
ભલે એક પ્લેનને દિવસભરમાં અનેક ઉડાણ ભરવાની હોય. પરંતુ જરૂરી નથી કે દર વખતે ફ્રેશ ચાદર અને ખાવાનું સર્વ કરવામાં આવતી ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ એક યાત્રા પૂરી થાય છે અને પ્લેન અન્ય જગ્યા પર જવા તૈયાર કરવામાં આવે તો તેમા ઉપયોગ કરેલી ચાદરને સરખી કરીને મૂકી દેવામાં આવે છે. આ હાલ ટ્રેનો પણ હોય છે. સારુ રહેશે કે તમે તમારા હાથ પર સૈનિટાઇજરનો ઉપયોગ કરો.