જો આનંદીબેન પટેલ ફરી CM બને તો ગુજરાતમાં કોરોનાવાયરસનો આંકડો સ્થિર થઇ શકે: સુબ્રમણ્યમ સ્વામી

જો આનંદીબેન પટેલ ફરી CM બને તો ગુજરાતમાં કોરોનાવાયરસનો આંકડો સ્થિર થઇ શકે: સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય અટકળોને ફરી વેગ મળ્યો છે

નવી દિલ્હી:. ભાજપના સિનિયર નેતાએ એક ટ્વિટ કરીને ગુજરાતમાં કોરોનાવાયરસને લીધે ચાલી રહેલા રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું કે ગુજરાતમાં આનંદીબેન પટેલ ફરી મુખ્યમંત્રી તરીકે આવે તો કોરોનાવાયરસનો મોતનો આંકડો સ્થિર કરી શકાય તેમ છે. ગુજરાતમાં અમદાવાદ શહેરની કથળેલી પરિસ્થિતિ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ક્વોરેન્ટીન થયા બાદ રાજકીય ક્ષેત્રે ઘણી અટકળો ચાલી રહી છે. કેન્દ્ર દ્વારા ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કેન્દ્રની ટીમ અહીં પહોંચી ત્યારબાદ અમદાવાદમાં આકરા નિર્ણયો લેવાયા છે. આવા સમયે સુબ્રમણ્યમ સ્વામીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જાગી છે.