કોરોનાથી બચવા ચહેરા પર બાંધવામાં આવતા માસ્કને લઈ થયો મોટો ખુલાસો, સાવધાન નહિંતર…

કોરોનાથી બચવા ચહેરા પર બાંધવામાં આવતા માસ્કને લઈ થયો મોટો ખુલાસો, સાવધાન નહિંતર…

ભયાનક વાયરસ એવા કોરોનાથી બચવા મોઢા પર માસ્ક અને હેંડ સેનેટાઈઝર લોકો માટે હાથવગુ હથિયાર બન્યું છે. દુનિયાભરના દેશોની સરકારો અને ખુદ WHO પણ કોરોના વાયરસથી બચવા મોઢા પર માસ્ક ફરજીયત લગાવવાની સૂચના આપી રહ્યું છે પણ હવે માસ્કને લઈને ગંભીર બાબત સામે આવી છે.

તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન પ્રમાણે કોરોના વાયરસના કિટાણુથી બચવા ચહેરા પર જે માસ્ક લગાવવામાં આવે છે તેમાં પણ અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે. તેવી જ રીતે સ્ટીલ ધાતુ અને પ્લાસ્ટિકમાં પણ અનેક દિવસો સુધી જીવતો રહી કોરોનો સંક્રમણ ફેલાવી શકે છે.

વારંવાર હાથ ધોવા એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય

સંશોધનમાં આ વાત સામે આવી છે કે, હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ વાયરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબૂ તથા પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જાય છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની પરત પર ચાર દિવસ સુધી ચોંટી રહે છે. તેવી જ રીતે ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના બહારના ભાગ ભાગમાં તે અઠવાડીયા સુધી જીવતો રહે છે. આમ માસ્કને લઈને પણ લોકોએ ગંભીર સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

આ ઉપરાંત સંશોધન કર્તાઓએ એ બાબત પણ તપાસવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, આ વાયરસ સામાન્ય તાપ પર જુદી જુદી વસ્તુઓની સપાટીઓ પર કેટલી વાર સુધી જીવતો રહી શકે છે. જેમાં જણાઈ આવ્યું છે કે, ટિશ્યૂ પેપર પર ત્રણ કલાક, લાકડા અને કપડા પર આખો દિવસ સુધી કોરોના વાયરસ જીવતો રહી શકે છે. કાચ પર આ વાયરસ ચાર દિવસ સુધી જીવતો રહે છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચારથી 7 દિવસ સુધી જીવતો રહે છે.