‘કોઇ પણ તાકાત આપણી એક ઈંચ જમીનને પણ ન અડકી શકે, સ્વાભિમાન પર પ્રહાર કરશો તો જડબાતોડ જવાબ મળશે’

‘કોઇ પણ તાકાત આપણી એક ઈંચ જમીનને પણ ન અડકી શકે, સ્વાભિમાન પર પ્રહાર કરશો તો જડબાતોડ જવાબ મળશે’

રાજનાથ સિંહ 2 જુલાઈએ લદ્દાખ જવાના હતા, પરંતુ તે મુલાકાત ટાળી દેવાઈ અને 3 જુલાઈએ અચાનક મોદી પહોંચ્યા
લદ્દાખમાં વિવાદિત વિસ્તારોથી ચીન પાછળ ખસી રહ્યું છે, પરંતુ પેંગોગ ત્સો અને દેપસાંગમાં જડ વલણ

લેહ. રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ મુલાકાતે પહોંચ્યા છે. તેમણે લેહમાં સ્ટફના ફોરવર્ડ લોકેશન પર જવાનો સાથે વાત કરી હતી. સૈનિકોએ પેરા ટ્રૂપિંગ અને સૈન્ય અભ્યાસ પણ દર્શાવ્યો હતો. આ દરમિયાન રાજનાથ સિંહે હથિયારોની તપાસ પણ કરી હતી. તેમણે પીકા મશીનગન હાથમાં લઈને જોઈ હતી. રાજનાથ સિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ છે. રાજનાથસિંહે કહ્યું કે વિશ્વની કોઇ પણ તાકાત આપણી એક ઇન્ચ જમીનને પણ અડી ન શખે. ચીનનું નામ લીધા વિના કહ્યું કે વિવાદ દૂર કરવા માટે વાતચીતનો દોર ચાલુ છે પરંતુ સમાધાન કેટલું થશે તેની ગેરન્ટી ન આપી શકું. લદ્દાખ મુલાકાત બાદ તેઓ શ્રીનગર પહોંચ્યા હતા. અહીં પણ તેઓ ફોરવર્ડ લોકેશનનો પ્રવાસ કરશે. 

લદ્દાખમાં રાજનાથે સૈનિકોને કહ્યું- તમારા પર ગર્વ છે

  • તમારી વચ્ચે આવીને ગર્વની લાગણીનો અનુભવ થાય છે. તમારા પર ભરોસો છે. ભરોસો રાખજો, ભારત કમજોર નથી. આપણા દેશના સ્વાભિમાન પર કોઇ પ્રહાર ન કરી શકે. આ ફોરવર્ડ પોસ્ટ પર તમારી વચ્ચે આવીને ખુશી થઇ રહી છે. કારગિલ યુદ્ધમાં જે જવાનો શહીદ થયા તેમને પણ નમન કરું છું. તેમની શહીદી આપણા માટે પ્રેરણાનું કામ કરે છે. 
  • ભારતની એક ઇન્ચ જમીનને પણ વિશ્વની કોઇ તાકાત અડી ન શકે, કબ્જો ન કરી શકે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જેણે શાંતિનો સંદેશ આપ્યો. 
  • આપણે અશાંતિ ઇચ્છતા નથી. આપણુ ચારિત્ર્ય છે કે આપણે ક્યારેય વિશ્વના સ્વાભિમાન પર પ્રહાર કરવાનો પ્રયત્ન નથી કર્યો. પરંતુ આપણા સ્વાભિમાન પર કોઇ પ્રહાર કરવાનો પ્રયત્ન કરશે તો તેનો જડબાતોડ જવાબ આપીશું.

બે દિવસની મુલાકાતમાં રાજનાથ સિંહ આજે લદ્દાખમાં ફોરવર્ડ લોકેશનની મુલાકાત લેશે. શનિવારે શ્રીનગર જશે. ગલવાનની ઘટના પછી આ રાજનાથ સિંહની પ્રથમ મુલાકાત છે. 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન સાથેની ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

મોદીએ ચીનની વિસ્તારવાદી નીતિને ટાર્ગેટ કરી
આ પહેલાં રાજનાથ સિંહ 2 જુલાઈએ લદ્દાખની મુલાકાતે જવાના હતા, પરંતુ તે મુલાકાત ટાળી દેવામાં આવી હતી. તેના બીજા દિવસે વડાપ્રધાન મોદી અચાનક લદ્દાખ પહોંચી ગયા હતા. મોદીએ ચીન સાથેની ઝપાઝપીમાં સામેલ જવાનોને પ્રોત્સાહન આપ્યું હતુ અને ચીનને પડકાર આપતા તેની વિસ્તારવાદની નીતિને ટાર્ગેટ કરી હતી. 

ભારત-ચીન વચ્ચે ડિસએંગેજમેન્ટનો પહેલો ફેઝ પૂરો, બીજામાં તકલીફ
મોદીની મુલાકાતના 2 દિવસ પછી એટલે કે 5 જુલાઈએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર ચર્ચા કરી હતી. ત્યારપછી ચીન ઝૂક્યું અને તે લદ્દાખના વિવાદિત વિસ્તારોમાંથી તેની સેના હટાવવા માટે રાજી થઈ ગયું. પેહલાં ફેઝનું ડિસએંગેજમેન્ટ પુરૂ પણ થઈ ગયું છે.
જોકે બીજા ફેઝમાં થોડી મુશ્કેલીઓ આવી રહી છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોનું કહેવું છે કે, પેંગોગ ત્સો અને દેપસાંગ વિસ્તારમાં ચીન વિવાદ પહેલાની સ્થિતિમાં પરત આવવા માટે તૈયાર નથી. આ મુદ્દે ભારત-ચીન વચ્ચે મંગળવારે લેફ્ટિનન્ટ લેવલની વાતચીત થઈ હતી જે સાડા ચૌદ કલાક ચાલી હતી.