અમદાવાદ / સંપૂર્ણ પ્રોપર્ટી ટેક્સ ભરનારા માટે AMCની રિબેટ યોજના, 2020-21ના મિલકતવેરામાં 10 ટકાની છૂટ આપશે

અમદાવાદ / સંપૂર્ણ પ્રોપર્ટી ટેક્સ ભરનારા માટે AMCની રિબેટ યોજના, 2020-21ના મિલકતવેરામાં 10 ટકાની છૂટ આપશે

અમદાવાદ. ચાલુ વર્ષના અંતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે AMCએ એડવાન્સ રિબેટ સ્કીમની જાહેરાત કરી છે. જે અંતર્ગત નિયમિત પ્રોપર્ટી ટેક્સ ભરનાર કરદાતાઓ માટે 1 જૂન 2020 થી 30 જૂન 2020 સુધી પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા એડવાન્સ રિબેટ યોજના રજૂ કરી છે. જે કરદાતાઓએ વર્ષ 2019-20 સુધીનો સંપૂર્ણ ટેક્સ/સેસ/વેરા/વ્યાજ વગેરે ભર્યાં હોય અને માંગણું શૂન્ય કરાવ્યું હોય તેમને 2020-21ના મિલકતવેરામાં 10 ટકા રિબેટ આપવામાં આવશે.